CBIએ ફરી મનિષ સિસોદિયાનાં દ્વાર ખટખટાવ્યાં છે..26 ફેબ્રુઆરીનાં રોજ પૂછપરછ માટે બોલાવ્યું છે.
CBIએ ફરી મનિષ સિસોદિયાને આપ્યું આમંત્રણ
26 ફેબ્રુઆરીનાં રોજ પૂછપરછ માટે આવવાનો આપ્યો આદેશ
થોડા સમય પહેલા સિસોદિયાએ માગ્યો હતો સમય
મનીષ સિસોદિયાએ આ પહેલા 19 ફેબ્રુઆરીનાં સમન્સ જાહેર કર્યું હતું પરંતુ બજેટનું બહાનું આપી અને તેમણે CBI પાસે નવી તારીખ માંગી હતી.
હું પૂછપરછ માટે જઈશ- મનીષ સિસોદિયા
દિલ્હીનાં ડેપ્યૂટી CM મનીષ સિસોદિયાએ આબકારી નીતિનાં મામલામાં CBIએ ફરી એકવાર નવું સમન્સ જાહેર કર્યું છે. આ અંગેની જાણકારી આપતાં મનીષ સિસોદિયાએ કહ્યું કે CBIએ 26 ફેબ્રુઆરીનાં ફરીથી પૂછપરછ કરવા માટે બોલાવ્યું છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે હું પૂછપરછ માટે જઈશ.
નવી તારીખ જાહેર
આ પહેલાં CBIએ મનીષ સિસોદિયાને રવિવારનાં 19 ફેબ્રુઆરીનાં રોજ બોલાવેલ હતો. મનિષ સિસોદિયાએ બજેટને અંતિમ રૂપ આપવાની વાત કરીને CBIથી વધુ સમયની માગ કરી હતી. CBIએ તપાસમાં શામેલ થવા માટે વધુ સમય માગવાનાં અનુરોધને સ્વીકાર્યું હતું અને હવે નવી તારીખને લઈને સમન જાહેર કરેલ છે.
Delhi Excise Policy case | Delhi Deputy CM and AAP leader Manish Sisodia says, "CBI has called him for questioning on 26th February."
He requested CBI to give him time to finalise the UT's budget after he was called by the agency yesterday. pic.twitter.com/ciB9MlBdLc
સિસોદિયાએ માગ્યો હતો સમય
મનિષ સિસોદિયાએ રવિવારે કહ્યું કે મને CBIથી નોટિસ મળી હતી કે તે આબકારી નીતિનાં વિષે પૂછપરછ કરવા માગે છે. કારણકે આ ફેબ્રુઆરીનો છેલ્લો અઠવાડિયો છે , મારા માટે આ અતિ મહત્વનો સમય છે. દિલ્હીનો વાર્ષિક બજેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તે અંતિમ ચરણમાં છે. દિલ્હીનાં ડેપ્યૂટી CMએ કહ્યું કે મેં ફેબ્રુઆરીનાં અંત સુધીનો સમય માગ્યો છે, હું આબકારી નીતિ સંબંધિત તેમના તમામ પ્રશ્નોનો જવાબ આપીશ.
મેં હંમેશા તેમનો સહયોગ કર્યો છે
તેમણે કહ્યું કે મેં હંમેશા તેમનો સહયોગ કર્યો છે અને કરતો રહીશ. મને વિશ્વાસ છે કે CBI અધિકારી સમજશે કે નાણામંત્રી હોવાને કારણે બજેટને અંતિમ રૂપ આપવાની મારી ભૂમિકા અતિ મહત્વની છે. આ મામલામાં ચાર્જશીટ દાખલ કરવાનાં આશરે 3 મહિના બાદ રવિવારે મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યું હતું.