સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક બાદ એક નવા વળાંક આવી રહ્યાં છે. CBIએ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી અને તે ઘણી લાંબી ચાલી હતી. સૂત્રો અનુસાર રિયાના કેટલાક જવાબથી CBI સંતુષ્ટ નથી.
રિયા ચક્રવર્તી CBIના સકંજામાં
સુશાંત કેસમાં આવ્યો નવો વળાંક
ફરીથી થઇ શકે છે રિયાની પૂછપરછ
સુશાંતના મોત બાદ રિયાનું કૂપર હોસ્પિટલમાં જવુ અને છેલ્લી ઘડીઓ વિશે વધારે જાણકારી મેળવવા માંગે છે અને રિયાના જવાબો વ્યવસ્થિત લાગતા નથી. જો રિયા ચક્રવર્તીએ 8 તારીખે સુશાંત સાથે બ્રેક-અપ કર્યુ તો તેનુ કારણ શું હતું. આ પ્રકારના સવાલના જવાબથી તપાસ અધિકારીઓ સંતુષ્ટ નથી.
CBIએ 8 કલાકથી વધુ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી અને અતથી ઇતિ સુધીની વાતો કરી. રિયાએ આજતકને આપેલા ઇન્ટરવ્યૂ અને સીબીઆઇને આપેલા જવાબ બંને મૅચ થાય છે કે નહી તે પણ જોવાનું રહેશે. જો સુશાંત ખરેખર એટલો બધો ડિપ્રેશનમાં હતો તો રિયાએ શા કારણથી 8 થી 14ની વચ્ચે એક પણ વાર સુશાંતના ખબર અંતર ન લીધા. રિયાએ તેના જવાબમાં કહ્યું કે, તેણે શોવિક પાસેથી સુશાંતના હાલ ચાલ જાણી લીધા હતા.
સુશાંત સાથેની યુરોપ ટ્રીપ વિશે પણ કેટલાક સવાલ રિયાને પૂછવામાં આવ્યા. રિયા અને શોવિક બંને સુશાંત સાથે ટ્રિપ પર ગયા હતા અને તે બંને સાથે પૂછપરછ કરવામાં આવી હતી.
જેમ જેમ દિવસ જતા જાય છે તેમ તેમ સુશાંતનો કેસ વધુ ને વધુ ઉંડો થતો જાય છે. ક્યારેક તે ડિપ્રેશનમાં છે તે પ્રકારની ઘટના સામે આવે છે તો ક્યારેક રિયા ચક્રવર્તીનું નામ સામે આવે છે. મહેશ ભટ્ટ જેવા દિગ્ગજ ડિરેક્ટર અને રિયાના ઉંધા સંબંધો દર્શાવવામાં આવે છે. તો બીજી તરફ રિયા સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પર પણ સવાલ ઉઠાવે છે અને સુશાંતની મોટી બહેન મિતુ પર પણ સવાલો ઉઠાવે છે. હવે આ કેસ ક્યાં જઇને અટકશે તે માત્ર ઉપરવાળો જાણે છે.