સુરેન્દ્રનગરની એક સ્કૂલમાં આભડછેટની તુચ્છ માનસિકતાનો ગંભીર કેસ સામે આવ્યો છે. સુરેન્દ્રનગરની પિયાવા-૨ પ્રાથમિક શાળામાં એક દલિત શિક્ષક માટે શાળામાં અલગ પાણીની માટલી રખાઇ છે. જેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
સુરેન્દ્રનગરની પિયાવા-૨ પ્રાથમિક શાળામાં સવર્ણ શિક્ષકો માટે અલગ પાણીની માટલી અને દલિત શિક્ષક માટે અલગ પાણીની માટલી રાખવામાં આવી છે. શાળામાં જ્યાં બધા સરખા હોવાના પાઠ ભણાવવામાં આવે છે ત્યાં જ શિક્ષકો દ્વારા આવો ભેદભાવ રાખવાની ચોંકાવનારો અને શરમજનક મામલો છે.
દલિત શિક્ષક માટે અલગ પાણીની માટલી અંગે જ્યારે શાળાના આચાર્યને વાત કરી તો આચાર્યે શિક્ષક પર બાળકીઓના ફોટા પાડવાનો આરોપ લગાવ્યો. જો કે તેમની પાસે પુરાવા માગવામાં આવ્યા તો આચાર્ય ચૂપ થઇ ગયા હતા. જ્યારે અહીં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
VTVના સળગતા સવાલ:
ક્યાં સુધી આવી તુચ્છ માનસિકતા રાખશો?
21મી સદીમાં પણ આવી માનસિકતા ધરાવનારા કેટલા છે?
સવર્ણ શિક્ષકો અને દલિત શિક્ષકો વચ્ચે ભેદભાવ કેમ?
દલિત શિક્ષકને સાથે પાણી પીવાની કેમ મનાઇ ફરમાવી?
શિક્ષિત વર્ગમાં પણ આવી આભ[છેટની માનસિકતા કેમ?
જો શિક્ષિકો જ આવું કરશે તો બાળકોને શું ભણાવશે?
દલિત શિક્ષક માટે શાળામાં કેમ અલગ પાણીની માટલી રખાઇ?