સેવક અનુજ ચૌહાણ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયો હતો જે બાદ આજે સોખડા મંદિરના સોખડા 5 સંતો અને 2 સેવકોની અટકાયત કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
સોખડા મંદિરના સેવકને માર મારવાનો મામલો
5 સંતો, 2 સેવકોની અટકાયત
કોરોના ટેસ્ટ બાદ ધરપકડ
સોખડા મંદિરના સેવક અનુજ ચૌહાણને માર મારવાને મામલે પોલીસે આખરે કાર્યવાહી હાથ ધરી છે સોખડા મંદિરના 5 સંતો અને 2 સેવકોની કોરોના ટેસ્ટ બાદ અટકાયત કરી છે.પોલીસ ફરિયાદ બાદ સંતો પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા, 2 સેવકો પણ સાથે હતા. પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સેવક અનુજ ચૌહાણ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયો હતો
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સેવકને માર મારવાનો મામલો અનુજ ચૌહાણ આજે તાલુકા પોલીસ સમક્ષ પોતાનું નિવેદન લખાવવા હાજર થયો હતાં. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી અનુજ ઉતર્યો ભૂગર્ભમાં હતો. બજી તરફ પોલીસે અનુજ હાજર ન થતા 3 વાર ઘરે નોટિસ ચોંટાડી હતી. મહત્વનું છે કે અનુજ અને તેને ના પિતા વિરેન્દ્ર ચૌહાણે મિડિયા સમક્ષ એક વિડીયો શેર કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે પરિવાર પર દબાણ લાવવામા અવી રહ્યુ છે અને અનુજ દ્વારા વિડીયો ઉતારવાની વાત ઉપજાવી કાઢી છે આખુ પરીવાર ભયના ઓથાર નીચે જીવી રહ્યું હોવાનો ખુલાસો કર્યો હતો
જિલ્લા પોલીસ વડાએ સેવકના પરિવારને રક્ષણની આપી છે ખાતરી
આ પહેલા સેવાળ અનુજ સાથે પરિવાર અજ્ઞાત સ્થળે ચાલ્યો ગયો હતો તેથી પોલીસે મંદિરમા તપાસ કરી કેટલાક લોકોના નિવદનો પણ લીધા હતા અને કોગ્નેઝીબલ ગુનો બનતો હોવાનુ તપાસમા બહાર આવ્યુ હતું જોકે પરિવાર નિવૈદન લખાવવા ના આવે ત્યા સુધી એફઆઈઆર થઈ શકે તેમ ન હતી જે બાદ જીલ્લા પોલિસ વડાએ પરિવાર ને સંપૂર્ણ સુરક્ષાની ખાત્રી આપી છે અને ભય વગર પરિવાર પોલિસ સમક્ષ આવે અને નિવેદન નોધાવા અપીલ કરી જો પરિવાર ને જરુર લગશે તો પોલિસ રક્ષણ આપવાની પણ જીલ્લા પોલિસ વડાએ વાત કરી હતી જે બાદ અનુજ પોલીસ સમક્ષ હાજર થયો હતો. જે બાદ કાર્યવાહીના ભાગ રૂપે 5 સંતો, 2 સેવકોની અટકાયત કરવામાં આવી હતી.