રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિ-દિન વધતી જ જાય છે, જ્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સુરેન્દ્રનગરમાં સર્જાયો છે. જેમાં એક જ પરિવારના 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર કાર અને ટેન્કર ઘડાકાભેર અથડાતા એક જ પરિવારના 3 સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં 2 મહિલા અને એક પુરુષનું મોત નિપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે ઈનોવા કાર અને ટેન્કર ઘડાકભેર અથડાયા હતા. આ અકસ્માત ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર માલવણ ગામ પાસે બન્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા હતા. રાત્રિનો સમય હોવાથી કાર અને ટેન્કર વચ્ચે કેવી રીતે અકસ્માત થયો તેનું કારણ હજી જાણી શકાયું નથી.