ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ તિરંગો લહેરાવતી પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર મૂકી હતી. પરંતુ ફેન્સે તેને જોરદાર ટ્રોલ કર્યો હતો.
ભારતે સ્વતંત્રતા દિવસની 75 મી વર્ષગાંઠની ઉજવી
કેપ્ટન રોહિત શર્માએ પણ તિરંગો લહેરાવતો ફોટો પોસ્ટ કર્યો
લોકોએ રોહિતની પોસ્ટને લઈને તેમને ટ્રોલ કર્યો
ભારતે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ 2022 ની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. હર ઘર તિરંગો લહેરાયો હતો. સામાન્ય વાત એ છે કે, દેશના દરેક નાગરિકે આઝાદીનો અમૃત મહોત્સવ પૂરા ઠાઠમાઠથી ઉજવ્યો. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ તિરંગો લહેરાવતી પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર મૂકી હતી. પરંતુ ફેન્સે તેને જોરદાર ટ્રોલ કર્યો હતો. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
રોહિત શર્માએ શેર કર્યો ફોટો
રોહિત શર્માએ ફોટો પોસ્ટ કરીને લખ્યું, 'આઝાદીની 75મી વર્ષગાંઠ. સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. ફોટોમાં રોહિત શર્મા પારંપરિક ભારતીય વેશભૂષામાં જોવા મળી રહ્યો છે. કુર્તા સાથે નેહરુ જેકેટમાં સજ્જ શર્માના ચહેરા પર મોટું સ્મિત છે.
વિવાદ શું હતો
તમે પણ વિચારશો કે આમાં વિવાદ ક્યાં છે? આખરે રોહિત શર્મા સાથે શું ભૂલ થઇ ગઇ અને શા માટે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
લોકોએ કર્યો ટ્રોલ
જો તમને આ તસવીર પરથી કંઇ સમજાતું નથી, તો ચાલો નીચેની આ ટ્વીટ્સ પર એક નજર કરીએ. ચાહકોનો આરોપ છે કે રોહિત શર્માએ કોઈ વાસ્તવિક તિરંગો પકડીને અભિનંદન આપ્યા નથી પરંતુ તે માત્ર આંખોનો વહેમ છે. હકીકતમાં આ ફોટોને ફોટોશોપ કરવામાં આવ્યો હતો. જાણો લોકોએ આ વિષે શું પ્રતિક્રિયાઓ આપી છે. જુઓ લોકોએ ટ્વીટ કરીને શું કહ્યું......