પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે એલાન કરી દીધું છે કે હવે તેઓ કોંગ્રેસમાં નહી રહે. સાથેજ હવે તેઓ વડાપ્રધાન મોદીને મળે તેવી શક્યતા છે. જેને લઈને પંજાબના રાજકારમાં ખળભળાટ મચી ઉઠ્યો છે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ NSA અજીત ડૌભાલ સાથે લીઘી મુલાકાત
કેપ્ટન PM મોદી સાથે મુલાકાત કરે તેવી શક્યતા
ગઈકાલે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને મળ્યા હતા
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહને લઈને પંજાબમાં રાજકારણમાં હડકંપ મચી ઉઠ્યો છે. કેપ્ટન અમરિંદ સિહ હવે PM મોદીને મળી શકે છે. તાજેતરમાજ કેપ્ટન અમરિંદર સિંહે NSA અજીત ડોભાલ સાથે વાત કરી હતી. જેમા તેમની સાથેની મુલાકાત બાદ અનેક અટકળો તેજ થઈ છે. સાથેજ રાજકારણમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કેપ્ટન ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે.
પંજાબના રાજકારણમાં હડકંપ
આપને જણાવી દઈએ કે કે ગઈકાલે કેપ્ટન અમરિંદર સિંહે અમિતશાહ સાથે મુલાકાત લીધી હતી ત્યારબાદથી પંજાબના રાજકારણમાં હડકંપ મચી ઉઠ્યો છે. આપને જણાવી દઈએ કે એક સમયે કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુની દેશ માટે ખતરો કહ્યું હતું. સાથેજ તેમણે કહ્યું કે સિદ્ધુ પાકિસ્તાનના PM ઈમરાન ખાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર છે.
પંજાબમાં ચૂંટણીને માત્ર 5 મહિના બાકી
પંજાબમાં વિધાનસભા ચૂંટણીના ફક્ત પાંચ મહિના બાકી છે. ત્યારે આવા સમયે કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપવાની ફરજ પડી હતી. જેને લઈને તેઓ ઘણા નારાજ છે.સાથેજ ભાજપને પણ પંજાબમાં નવા ચહેરાની જરૂર છે. ઉપરાંત કેપ્ટન અમરિંદર સિંહ પણ પંજાબમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા છે. જેથી આવા માહોલમાં ભાજપ કેપ્ટન સાથે મળીને મોટો દાવ રમી શકે છે.
ભાજપમાં હું નથી જોડાવાનો: કેપ્ટન
ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહે આજે એલાન કરી દીધું છે કે તેઓ હવે કોંગ્રેસમાં નહી રહે. સાથેજ તેમણે કહ્યું છે કે હવે તેઓ તેમનું અપમાન સહન નહી કરી શકે. જોકે સમગ્ર મામલે તેમણે એવું પણ નિવેદન આપ્યું છે કે તેઓ ભાજપના નથી જોડાવાના