જો તમે વિદેશમાં સેટલ થવાની ફિરાકમાં છો...તો તમારી પાસે એક ખૂબજ સારો મોકો છે. જી હા.. બિલકુલ સાચી વાત છે. કેમ કે, કેનેડા દેશે 3 લાખ લોકોને નાગરિકતા આપવાનો ટાર્ગેટ કર્યો છે જેમાં તમારો પણ સમાવેશ થઈ શકે જો ઈચ્છુક હોવ તો... કેમ કે કેનેડા નાણાકીય વર્ષ 2022-2023માં 3 લાખ લોકોને નાગરિકતા આપવા માગે છે. જેનાથી કેટલાક ભારતીયોને લાભ થવાની સંભાવના છે. અપ્રવાસન, શરણાર્થીઓ અને નાગરિકતા કેનેડા (IRCC) મેમોના કહેવા પ્રમાણે 31 માર્ચ 2023 સુધી 2,85000ના નિર્ણય અને 3 લાખ નવી નાગરિકતા આપવામાં આવશે.
નાગરિકતા પ્રતિજ્ઞા
નિર્ણય અરજીની સમીક્ષાનો અર્થ આપ્યો છે કે, જે અસ્વીકૃત અથવા અપૂર્ણ તરીકે ચિહ્નિત થયેલા છે. નાગરિકતાના લક્ષ્યનો અર્થ છે કે, 3 લાખ સ્વીકૃત અરજદારોને નાગરિકતાના પ્રતિજ્ઞા લેવડાવવા. વધુમાં આઈઆરસીસીએ જણાવ્યું કે, 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો પણ વર્ષના અંત સુધી નાગરિકતા માટે ઓનલાઈન અરજી કરી શકશે.
2 વર્ષમાં નાગરિકતા આપવાનો લેખા-જોખો
નાણાંકીય વર્ષ 2021-2022માં એક મહત્વપૂર્ણ રીતે વૃદ્ધિ થઈ છે અને વર્ષ 2019-20ની મહામારીમાં લક્ષ્યોકથી વધુ છે. જેમાં 253,000 નાગરિકતા અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી હતી. માર્ચ 2020માં કોવિડ-19 રોગચાળાની શરૂઆતને કારણે મોટાભાગની અરજીઓ પર પ્રક્રિયા થઈ શકી નહોતી.
1.16 લાખ લોકોને નાગરિકતા મળી
નાણાકીય વર્ષ 2022-2023માં અત્યાર સુધી કેનડાએ 1,16000 લોકોને નાગરિકતા આપી છે. કેનેડાએ તેના લક્ષ્યાંકને પ્રાપ્ત પૂરો કર્યો છે. તુલાત્મક રૂપથી વર્ષ 2021માં આ અવધિમાં દેશમાં ફક્ત 35,000 લોકોને નાગરિકતા આપવામાં આવી હતી. એક માહિતી રિપોર્ટના આંકડાકીય વિગતો અનુસાર 2022માં ભારતીય કેનેડામાં નિવાસ કરવાવાળા સમૂહમાં અપ્રવાસી સમૂહ છે. તેમજ દેશની 2016ની રિપોર્ટ અનુસાર કેનેડામાં ભારતીય મુળના લગભગ 14 લાખ લોકો છે. 2021માં લગભગ 1 લાખ ભારતીય અસ્થાઈ વિદેશી કાર્યકર્તા કાર્યક્રમ હેઠળ કેનેડામાં ગયા અને 1,30,000ને ઈન્ટરનેશનલ મોબિલિટૂ પ્રોગ્રામ હેઠળ વર્ક પરમિટ પણ મળી. વર્ષ 2021-22માં 2,10,000થી વધુ સ્થાઈ નિવાસીઓએ કેનેડાની નાગરિકતા પ્રાપ્ત કરી છે.