બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / વિશ્વ / Can PM Modi get Nobel Peace Prize? Clues from the statement of the Deputy Leader of the Committee
Priyakant
Last Updated: 04:10 PM, 16 March 2023
વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. વિશ્વને શાંતિ અને પ્રગતિનો માર્ગ બતાવી ભારતનું નેતૃત્વ કરી રહેલા પીએમ મોદી માત્ર દુનિયાભરમાં પોતાના દેશનો ધ્વજ લહેરાવી રહ્યા નથી. બલ્કે નોબેલ પ્રાઈઝ કમિટીના એક સભ્યનું નામ પણ તેમની યોગ્યતાના વખાણ કરનારાઓમાં સામેલ કરવામાં આવ્યું છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોબલ શાંતિ પુરસ્કાર મળી શકે તેવી ચર્ચાઓ તેજ બની છે .
વાત જાણે એમ છે કે, નોબેલ પ્રાઈઝ કમિટીની ટીમ નોર્વેથી ભારત પહોંચી છે. આ સમિતિ છે જે શાંતિ પુરસ્કાર વિજેતા નક્કી કરે છે અને સૌથી મોટી વાત એ છે કે, આ સમિતિના ઉપનેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી જેવા શક્તિશાળી નેતામાં શાંતિ સ્થાપિત કરવાની અદભૂત ક્ષમતા છે. આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં ભારતીયોને નોબેલ પુરસ્કાર સાથે જોડાયેલા કેટલાક મોટા સમાચાર સાંભળવા મળી શકે છે.
નોબેલ પુરસ્કાર સમિતિના ડેપ્યુટી લીડરે શું કહ્યું?
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાની ઘોષણા કરવા ભારત આવેલા નોર્વેની નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લે તોજેએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, અમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે મોટી સંખ્યામાં ભારતીય નોમિનેશન મળી રહ્યા છે. હું આશા રાખું છું કે, વિશ્વના દરેક નેતા એ કાર્ય કરશે જે નોબેલ શાંતિ પુરસ્કાર માટે જરૂરી છે. એસ્ટલી આગળ કહે છે, 'પીએમ મોદીએ રશિયા, અમેરિકા અને ચીનના વડાઓ સાથે વાત કરી છે કે ભવિષ્ય શાંતિનું હોવું જોઈએ યુદ્ધનું નહીં. મને ખુશી છે કે મોદી માત્ર ભારતને આગળ લઈ જવાનું કામ નથી કરી રહ્યા પરંતુ તે મુદ્દાઓ પર પણ કામ કરી રહ્યા છે જે વિશ્વમાં શાંતિ માટે મહત્વપૂર્ણ છે. દુનિયાએ ભારત પાસેથી શીખવાની જરૂર છે. ભારત સુપર પાવર બનશે તે નિશ્ચિત છે.
આ સાથે તેમણે કહ્યું કે, એક તરફ જ્યાં રશિયા અને અમેરિકા બંને પરમાણુ યુદ્ધ અને બચાવની વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ દેશોએ ભારત તરફ જોવાની જરૂર છે. ભારતની નો ફર્સ્ટ યુઝ પોલિસી સૌથી જવાબદાર પોલિસી છે. રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ, નોર્વેના ભારતીય મૂળના સાંસદ હિમાંશુ ગુલાટીએ એક ખાનગી ન્યૂઝને જણાવ્યું હતું કે, “આગામી સમયમાં ઘણા ભારતીયો નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ થશે. વિશ્વમાં શાંતિ જાળવવામાં પીએમ મોદીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. રશિયા અને યુક્રેન બંને ભારતનું સન્માન કરે છે. જો આ યુદ્ધને રોકવું હશે તો ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જ્યારે દુનિયા PM મોદીની બની ગઈ હતી ચાહક
કોણે આપવામાં આવે છે નોબેલ શાંતિ પુરસ્કાર?
નોબેલ શાંતિ પુરસ્કાર વિશ્વભરમાંથી પસંદ કરાયેલ વ્યક્તિઓને આપવામાં આવે છે "જેમણે લશ્કરી જમાવટ ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવા અથવા પ્રોત્સાહન આપવા માટે દેશોમાં સૌથી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે."
નોબેલ શાંતિ પુરસ્કારના અત્યાર સુધીના નોંધપાત્ર વિજેતાઓ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને વર્ષ 2009માં શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સન્માન તેમને આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી મજબૂત કરવા અને લોકો વચ્ચે સહકાર વધારવાના તેમના પ્રયાસો માટે આપવામાં આવ્યું હતું. આ સિવાય અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરને વર્ષ 2002માં આ સન્માન આપવામાં આવ્યું હતું. વર્ષ 2012માં યુરોપિયન યુનિયન વર્ષ 2001માં સંયુક્ત રાષ્ટ્ર અને તેના મહાસચિવ કોફી અન્નાન અને વર્ષ 1979માં કલકત્તાના સેન્ટ ટેરેસા અને 2014માં કૈલાશ સત્યાર્થી અને મલાલા યુસુફઝાઈને સન્માનિત કરવામાં આવ્યા છે.
PM નરેન્દ્ર મોદીએ દુનિયાની મદદ માટે શું કર્યું?
વૈશ્વિક નેતાઓની યાદીમાં પીએમ મોદી ટોચ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિશ્વના ઘણા મોટા નેતાઓને પાછળ છોડીને લોકપ્રિય વૈશ્વિક નેતાઓની યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. વાસ્તવમાં બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા તાજેતરના ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ સર્વે અનુસાર PM મોદી અમેરિકાના પીએમ જો બિડેન, બ્રિટનના પીએમ ઋષિ સુનક સહિત 22 દેશોના નેતાઓને પાછળ છોડીને સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે. આ સર્વેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 78 ટકા રેટિંગ સાથે ટોચ પર છે.
યાદી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 78 ટકા લોકપ્રિયતા રેટિંગ મળ્યું છે અને આ સાથે તેઓ સૌથી લોકપ્રિય નેતાઓના મામલામાં ટોચ પર છે. બીજા સ્થાને મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે, જેમને 68 ટકા રેટિંગ મળ્યું છે. ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 58 ટકા રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news