હવે આપ 200 અને 2000 રૂપિયાની ગંદી અને ફાટેલી નોટોને પણ સરળતાથી બદલી શકશો. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ કપાયેલ-ફટાયેલ અથવા તો ગંદી નોટોને બદલવા માટે નોટ રિફન્ડ રૂલ્સ 2009માં ફેરફાર કરી દીધો છે. હવે આપ 1 2 5 10 20 50 100 200 500 અને 2000 રૂપિયાની નોટોને આપ બદલી શકો છો. રિઝર્વ બેંક આને લઇને સપ્ટેમ્બરમાં જ નોટિફિકેશન રજૂ કરી ચૂકેલ છે.
સામાન્ય જનતા હવે ટેન્શન મુક્તઃ
બે હજારની નોટ રજૂ થયાંને અંદાજે 2 વર્ષથી પણ વધારે થઇ ગયેલ છે. 2000 અને 200ની નોટોનો રંગ ઉતરી જવો નોટ ફાટી જવી અને કટીંગ થયેલી હોવા છતાં પણ બેંક તેને બદલી નથી રહી જેવી અનેક ફરિયાદો આવી હતી. આનાંથી નાના વેપારથી લઇને મોટો વેપાર કરનાર લોકો પણ પરેશાન થઇ ચૂકેલા છે.
જો કે પહેલાં જોગવાઇ ન હોતીઃ
નોટ બદલવાનો કાયદો RBI એક્ટની કલમ 28 અંતર્ગત આવે છે. જેમાં નોટબંધી પહેલા જેવી કોઇ ફાટેલી કે ગંદી નોટોને બદલવાની પરવાનગી હતી. જો કે હવે નોટબંધી બાદ રિઝર્વ બેંકે અત્યાર સુધી આ મામલે કોઇ જ સંશોધન નથી કરેલ. જો કે હવે નવા ડ્રાફ્ટમાં સંસોધન કરીને 200 અને 2000 રૂપિયાની નોટોને બદલવાની જોગવાઇને જોડી દેવામાં આવેલ છે.
2000 રૂપિયાની નોટો નવેમ્બર 2016નાં રોજ નોટબંધી લાગુ થયા બાદ રજૂ કરવામાં આવી હતી. જ્યારે 200 રૂપિયાની નોટ સપ્ટેમ્બર 2017 બાદ રજૂ થઇ છે. દેશભરમાં મોટી સંખ્યામાં લોકો આ વાતને લઇને વધારે પરેશાન છે કે નોટ બેંકોમાં બદલી દેવામાં નથી આવી રહેલ. બેંક પણ કાયદામાં ફેરફાર ન થવાને લઇને લોકોને નોટ બદલી ન હોતા શકતા. જો કે હવે RBI દ્વારા કાયદામાં ફેરફાર કરાતા સામાન્ય જનતાને મોટી રાહત મળી છે.