વિધાનસભા ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ પર ટિપ્પણી કરવામાં આવી છે
35 હજાર 996 વસવાટોને પૂરતુ પાણી નહીં
10% વસવાટોને પીવાલાયક પાણીનો સ્ત્રોત નહીં
ગામડાઓમાં યોગ્ય રીતે પાણી નથી પહોંચ્યું
વિધાનસભા ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ પર ટિપ્પણી કરવામાં આવી છે. 35 હજાર 996 વસવાટોને પાણી પુરવઠો પૂરો પાડ્યાનો દાવો સાચો નહીં હોવાનું કેગે કહ્યું છે.
ગામડાઓમાં પાણી માટે આંતરિક નેટવર્ક ઉભું જ નથી કરાયું. પાણી ન પહોંચવા પાછળ ક્ષતિયુક્ત પાઈપલાઈન પણ જવાબદાર છે. પાણીના પરીક્ષણ માટે લેબમાં સારી કવોલિટીના સાધનો નહતા. રાજ્યમાં 10% વસવાટોને પીવાલાયક પાણીનો સ્ત્રોત નહીં. જાણીતી સંસ્થા વાસ્મોએ વણવપરાયેલુ ભંડોળ પરત ન કર્યું.
શું કહે છે CAGનો રિપોર્ટ?
નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા-કલ્પસર વિભાગ પર ટિપ્પણી
રાજ્ય સરકારનો દાવો સાચો ન ઠર્યો
35,996 વસવાટોને પાણી પુરવઠાનો દાવો સાચો નહીં
ગામડાઓમાં પાણી માટે આંતરિક નેટવર્ક ઉભુ ન કરાયું
ક્ષતિયુક્ત પાઈપોના કારણે પાણી ન પહોંચાડી શકાયું
સરકારની લેબમાં પાણીના સામાન્ય સ્તરના પરીક્ષણ
લેબમાં ઉચ્ચકક્ષાના સાધનોનો અભાવ હતો
તાલુકા કક્ષાની લેબનું પ્રમાણ ઓછું
મોબાઈલ લેબ વાનનો મહત્તમ ઉપયોગ નહીં
ગુણવત્તા પરીક્ષણ માટે ફાસ્ટ ટેસ્ટ કીટનો ઉપયોગ નહીં
રાજ્યમાં 10% વસવાટોને પીવાલાયક પાણીનો સ્ત્રોત નહીં
વાસ્મોએ વણવપરાયેલ ભંડોળ પણ પરત ન કર્યું
પંચાયતોને વોટર ચાર્જિસની ચૂકવણી નથી કરાતી
પૂર્ણ યોજનાઓની સમયાંતરે દેખરેખ નહીં
2352માંથી 1857 ગામોમાં RWSSS મારફતે પાણી પહોંચ્યું