સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે કે ભારતીયો હાલમાં ચીનની યાત્રા કરવાનું ટાળે. જો કોઈ ભારતીય ચીન જાય છે તો તે પાછા આવશે ત્યારે તેમને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ રાખવામાં આવશે. હાલમાં ચીનમાં કોરોના વાયરસની સાથે બર્ડ ફ્લૂ પણ દસ્તક દઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચીનમાં કોરોના વાયરસની સાથે બર્ડ ફ્લૂ પણ જોવા મળ્યો
કોરોના વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને કેબિનેટ સેક્રેટરીએ રવિવારે એક ઉચ્ચ સ્તરની બેઠક બોલાવી હતી. બેઠકમાં સ્વાસ્થ્ય, ગૃહ, નાગરિક ઉડ્ડયન, હેલ્થ રિસર્ચ અને એનડીઆરએફ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં આ છઠ્ઠી બેઠક યોજાઈ હતી.
જાહેર કરવામાં આવી ટ્રાવેલ એડવાઈઝરી
સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવ્યું છે કે ભારતીયો ચીનની યાત્રા કરવાનું ટાળે. જો કોઈ ભારતીય ચીનની યાત્રા કરશે તો તે પાછા આવશે ત્યારે તેમને સુરક્ષાના કારણોસર અલગ રાખવામાં આવશે. 15 જાન્યુઆરી 2020 બાદ ચીન ગયેલા કોઈ પણ ભારતીય પરત આવશે તો તેમને અલગ રાખવામાં આવશે.
Cabinet Secretary takes stock of preparedness for coronavirus, new travel advisory issued
ગૃહમંત્રાલય તરફથી જાહેર કરાયેલી નવી એડવાઈઝરી અનુસાર ઈ વિઝા પર ચીનમાં રહેનારા અન્ય દેશોના નાગરિકોની ભારતની યાત્રાને અસ્થાયી રૂપથી રોકી દેવામાં આવી છે.
ચીનમાં કોરોના વાયરસ બાદ બર્ડ ફ્લૂ ફેલાતા લોકોમાં ભય
ચીનમાં જીવલેણ કોરોના વાયરસ બાદ હવે બર્ડ ફ્લૂ પણ દસ્તક દેતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ચીનમાં હાલ સુધી કોરોના વાયરસના કારણે 361 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 14562 લોકો તેના ભરડામાં છે. હુવેઈ પ્રાંતમાં રવિવારે 57 લોકો મોતને ભેટ્યા છે.
આવાગમન પર લાગ્યો પ્રતિબંધ
ચીનના 12 શહેરોમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેનાથી લગભગ 5.6 કરોડ લોકો પોતાના ઘરમાં કેદ થયા છે. ચીનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે શનિવારે 4.562 નવા કેસ નોંધ્યા છે. ચીન સિવાય પણ લગભગ 25 દેશોમાં આ વાયરસ સેંકડો લોકોને લપેટામાં લઈ ચૂક્યો છે.
ફિલિપિન્સમાં કોરોના વાયરસથી 1 વ્યક્તિનું મોત
ફિલિપિન્સમાં એક ફેબ્રુઆરીએ ચીનના 44 વ્યક્તિનો જીવ લીધો હતો. વુહાનથી 21 જાન્યુઆરીએ મહિલા મિત્ર સાથે ફિલિપિન્સ આવ્યા હતા. ચીન બહાર કોરોના વાયરસના મોતનો આ પહેલો કેસ છે.