ભાજપનો આતંરિક વિખવાદ ખુલીને સામે આવી ગયો છે. પ્રદેશપ્રમુખ C R Patil દ્વારા એક પછી એક વિવાદિત નેતાઓની ફેરતપાસ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસંતોષ ઉઠી રહ્યો હગોવાનો રાજકારણમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ
જામનગરમાં ભાજપના દિગ્ગજ નેતાઓ વચ્ચે વિવાદ
સમગ્ર વિવાદનું પ્રદેશ કક્ષાએ સંજ્ઞાન લેવામાં આવ્યું
ગુજરાતમાં ભાજપમાં વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. એક પછી એક કૌભાંડ અને વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે હવે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ અંગે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યુ છે.
સૌરાષ્ટ્રમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ
સૌરાષ્ટ્રમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જામનગર ભાજપમાં દિગ્ગજ નેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. ત્યારે સમગ્ર વિવાદનું પ્રદેશ કક્ષાએ સંજ્ઞાન લેવામાં આવ્યું છે.
જામનગરમાં ભાજપના દિગ્ગજ નેતાઓ વચ્ચે વિવાદ
મળતી માહિતી મુજબ સી.આર.પાટીલે મંત્રી હકુભા પર આક્ષેપો અંગે રિપોર્ટ મગાવ્યો છે. મંત્રી હકુભા જાડેજાએ કરેલા ખુલાસાને લઇ હવે તેમની સામે તપાસ કમિટી નિમવાનો ભાજપમાં સૂર ઉઠ્યો છે.