સરદાર પટેલની જન્મ જયંતિ 31 ડિસેમ્બર 2020ના રોજ પીએમ મોદીએ કેવડીયાથી અમદાવાદની સી પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી.પરંતુ આ સેવા થોડા સમય પુરતી જ ચાલી હતી. હમણાં બંધ
અમદાવાદ -કેવડિયામાં કરોડોનો ખર્ચ 'પાણીમાં'
સી પ્લેનના દર્શન દુર્લભ, એરોડ્રોમ શણગાર સજી ઉભું છે
50 વર્ષ જુનું સી પ્લેન,ઉડ્યું તેના કરતા તો વધારે મેન્ટેનન્સમાં
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સી પ્લેનની સેવા ફરી ક્યારે શરૂ થશે ? એની પ્રવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરદાર પટેલની જન્મ જયંતિ 31 ડિસેમ્બર 2020ના રોજ પીએમ મોદીએ કેવડીયાથી અમદાવાદની સી પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી.પરંતુ આ સેવા થોડા સમય પુરતી જ ચાલી હતી. બાદમાં મેન્ટેનન્સના નામે આ સેવા બંધ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2021માં આ મામલે પ્રવાસન મંત્રી પુર્ણેશ મોદીએ પણ નિવેદનમાં જણાવ્યુ હતુ કે ટુંક સમયમાં આ સેવા ફરી શરૂ કરાશે.
આજે આ વાતને પણ લગભગ બે મહિના પૂર્ણ થયા. લગભગ એક વર્ષથી કેવડીયા વોટર એરોડ્રોમ પર આ સેવા બંધ હોવાથી પ્રવાસીઓ કાગ ડોળે આ સેવા ફરી શરૂ થવાની રાહ જોઈને બેઠા છે. આ દરમ્યાન કેવડીયા વોટર એરોડ્રામનુ રીનોવેશન પણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ છેલ્લા 1 વર્ષથી માલદિવ ગયેલુ સી પ્લેન મેન્ટેનન્સ થઈને હજુ પણ પરત નથી ફર્યુ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેન ની સેવા પ્રવાસીઓ માટે શરૂ કરી હતી પરંતુ આ પ્લેન છેલ્લા 1વર્ષ થી બંધ છે ત્યારે સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સી પ્લેન ક્યારે શરૂ થશે સી પ્લેન માટે કેવડીયા વોટર એરોડ્રામ છે એ હાલમાં ધૂળ ખાઈ રહ્યું હોય તેવી સ્થિતિમાં છે.ત્યાં ફ્લાઇટ આવતી ન હોવા છતાં 24 કલાક સુરક્ષા કર્મી ફરજ બજાવી રહયા છે.જોકે હાલ આ વોટર એરોડ્રામ ને નવરૂપ રંગ કરી નવો લુક આપવામાં આવ્યો છે
આ વોટર એરોડ્રામ ને જોવા હાલ તો માત્ર પ્રવાસીઓ આવી રહ્યા છે 31 ઓક્ટોબરના દિવસે ની સેવાનો પ્રારંભ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓ મોટરમાર્ગે તો આવી શકે છે ત્યારે તેઓ સમય બગડ્યા વગર ઝડપથી હવાઈ માર્ગે પણ આવે તે સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવી હતી.ત્યારે આ સી પ્લેનને એ પ્રવાસીઓ મોટી સંખ્યામાં પ્રતિસાદ જોઈએ તે તો મળ્યો ન હતો.
પરિણામે સી પ્લેનના મેન્ટેનન્સ માટે અમુક કલાક ઉડાન બાદ તેને મેન્ટેનન્સ ની જરૂરિયાત છે પરંતુ એ મેન્ટેનન્સ માટે કેવડિયા થી અમદાવાદ કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અમુક કલાકો ને ઉડાન બાદ તેને મેન્ટેનન્સ માટે માલદિવ મોકલવામાં આવતું હતું ત્યારે આ વખતે માલદિવ મોકલ્યા બાદ સી પ્લેન ફરી પરત હજુ પણ નથી આવ્યું.જોકે હવે પ્રવાસીઓ કાગ ડોળે પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે આ વોટર એરોડ્રામ ને રીનોવેશન કરવામાં આવ્યું છે તો સી પ્લેન શરૂ ક્યારે થશે અને હવેલી તકે શરુ થાય એવી માગ પણ ઉઠી છે