ગુજરાતમાં ધંધા-રોજગારને મહામારીએ એવા સંકજામાં લીધા છે કે વેપારીઓએ અંતિમ રસ્તો અપનાવવો પડી રહ્યો છે. જામનગરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
જામનગરમાં વેપારીનો આપઘાત
વેપારમાં કરોડોનું નુકસાન થતા કર્યો આપઘાત
સિમેન્ટ અને લોખંડના ધંધામાં કરોડોની ખોટ
કોરોનાએ ધંધા-રોજગારની કમર ભાંગી નાંખી છે. ત્યારે છેલ્લા વર્ષથી મહામારીને કારણે વેપારીઓની આવક બંધ થઈ ગઈ છે. નાના-નાના વેપારીઓથી લઈને મોટા વેપારીઓના કરોડો રૂપિયા માર્કેટમાં અટવાઈ ગયા છે ત્યારે જામનગરમાં વેપારીએ આપઘાત કરી લેતા મહામારીની ધંધા-રોજગાર પર થયેલી ગંભીર અસરનો ખ્યાલ આવે છે.
જામનગરમાં વેપારમાં કરોડોનું નુકસાન થતા વેપારીએ આપઘાત કરી લીધો છે. સિમેન્ટ અને લોખંડના ધંધામાં કરોડોની ખોટ થતા વેપારીએ આપઘાત કરી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે વેપારીના આપઘાત બાદ તેનો પુત્ર પણ ઘરેથી ગુમ થઈ ગયો છે. એકતરફ ઘરના મોભીનું મૃત્યુ તથા બીજી તરફ પરિવારનો પુત્ર ગુમ થતા ખરેખરમાં કોરોના કાળમાં પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.