જમ્મૂ કશ્મીરમાં આતંકી બુરહાન વાનીનું એન્કાન્ટર કર્યા બાદ પણ ભારતીય સેના આતંકનો અંત લાવવા એવી તો લાગી ગઇ છે કે વર્ષની અંદર સમગ્ર ગ્રુપનો સફાયો કરી નાખશે. સેનાએ વર્ષની અંદર બુરહાન ગ્રુપના આતંકવાદીઓનો સફાયો કરી દીધો છે.
બુરહાનને સેનાએ પાછલા વર્ષે જુલાઇમાં ઠાર કર્યો હતો. તેના પહેલા 11 આતંકીઓની ફોટો શેર કરીને આતંકીઓએ ઘાટીમાં પોતાની સક્રિયતા દેખાડવા માટે પ્રયાસ કર્યો હતો. પાછલા અઠવાડિયે બુરહાનના મિત્ર અને ઉત્તરાધિકારી સબજારને ત્રાલમાં એન્કાઉન્ટરમાં ઠાર કરાયો.
11 આતંકીઓમાંથી 9ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એક આતંકવાદી તારીક પંડિતે સરેંડર કરી દીધું છે અને હાલ માત્ર એક જ આતંકવાદી સદ્દામ પદ્દર જીવતો છે. સુરક્ષા બળોએ બુરહાન વાની આદિલ ખાંડે નસીર પંડિત અફ્ફાક ભટ્ટ સબજાર ભટ્ટ અનીસ ઇશફાક ડાર વસીમ મલ્લાહ વસીમ શાહને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.