બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / builder 33 crore loan scam caught from 3 banks in surat

કાર્યવાહી / સુરતમાં આચરાયું 33 કરોડનું લોન કૌભાંડ, વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયા સહિત 12 લોકો સામે ગુનો દાખલ

Dhruv

Last Updated: 01:12 PM, 25 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાંથી બિલ્ડર અશ્વિન વિરડીયાએ 33 કરોડ રૂપિયાની લોન લેવાનું કૌભાંડ ઝડપાયું.

  • સુરતમાં બિલ્ડર દ્વારા લોન લઇને કૌભાંડ આચરાયું
  • ઇકો સેલે બિલ્ડર અને બેંન્ક મેનેજર સહિત 6ની કરી ધરપકડ
  • વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયા સહિત 12 સામે ગુનો દાખલ

સુરતમાં બિલ્ડર દ્વારા એક જ ફ્લેટ પર જુદી-જુદી 3 બેંકમાંથી લોન લીધાનું કૌભાંડ સામે આવ્યું. બિલ્ડર દ્વારા 33 કરોડ રૂપિયાની લોન લેવાનું કૌભાંડ ઝડપાયું છે. ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. ઇકો સેલે બિલ્ડર અને બેંક મેનેજર સહિત 6ની ધરપકડ કરી છે.

અશ્વિન વિરડીયાએ દેવ પ્રયાગ રેસિડન્સીના નામે કૌભાંડ કર્યું

વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયા સહિત 12 સામે ગુનો દાખલ કરાયો છે. અશ્વિન વિરડીયાએ દેવ પ્રયાગ રેસિડન્સીના નામે કૌભાંડ કર્યું છે. એક જ ફ્લેટ પર જુદા-જુદા ત્રણ વ્યક્તિઓના નામે વેચાણ બતાવ્યું. અશ્વિન વિરડીયા, રીટા વિરડીયા અને અસ્મિતા વિરડીયાની ધરપકડ કરાઇ. રાજેશ દેવાણી, વિપુલ દેવાણી અને બેંક મેનેજર જલંધરનાથ જાદવની ધરપકડ કરવામાં આવી છે.

વધુમાં જણાવી દઇએ કે, સિંગણપોરમાં શ્રીજી કોર્પોરેશને દેવ પ્રયાગ રેસિડન્સી સોસાયટી બનાવી હતી. જેના 6 ભાગીદારો પૈકી અશ્વિન વિરડીયા (પટેલ) ને દેવ પ્રયાગ રેસિડન્સીની બિલ્ડિંગ નં-એ-1ની પાવર ઓફ એર્ટની આપી હતી. વર્ષ 2012માં બિલ્ડરે પાવરના આધારે ફલેટ મહેશ ત્રિવેદીને વેચાણ કર્યો હતો. બાદમાં બિલ્ડરે તે ફલેટ બીજી વખત તેની ભાભી અસ્મિતાને વેચાણ કર્યો હતો.

3 બેંકોમાંથી બિલ્ડરે તેના પરિવાર, વેલ્યુઅર અને બેંક મેનેજર સાથે મળીને કૌભાંડ આચર્યું

બિલ્ડરે ત્રીજીવાર આ ફલેટ રાજેશ દેવાણી અને વિપુલ દેવાણીને વેચાણ કર્યો હતો. તે જ ફલેટ બિલ્ડરે વર્ષ 2016માં મહેશ ત્રિવેદી પાસેથી ખરીદ્યો હતો. બિલ્ડરે વેચાણ કરેલા ફલેટ અને અન્ય મિલકતો મોર્ગેજ મૂકી ખરીદનાર અને 14 લોકોએ આસ્થા એન્ટરપ્રાઇઝના નામે બેંકમાંથી 10 કરોડની લોન લીધી હતી. બિલ્ડરે તે જ મિલકતો પર નાસિક મર્ચન્ટ બેંકમાંથી 23 કરોડની લોન લીધી હતી. બિલ્ડરે રાજેશ દેવાણી અને વિપુલ દેવાણીને વેચેલા ફલેટ પર બંનેના નામે 25 લાખની લોન અપાવી હતી. 3 બેંકોમાંથી બિલ્ડરે તેના પરિવાર, વેલ્યુઅર અને બેંક મેનેજર સાથે મળીને રૂપિયા 33 કરોડનું લોન કૌભાંડ આચર્યું હતું. આ મામલે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતા વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયા સહિત 12 સામે ગુનો દાખલ કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ