કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મૂ-કાશ્મીરને લઇને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જમ્મૂ-કાશ્મીર હવે અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયું છે અને લદ્દાખ પણ અલગ પ્રદેશ બની ગયો છે. રાજ્યસભામાં સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ-કાશ્મીર પૂનર્ગઠન બિલ રજૂ કર્યું, જે એક લાંબી ચર્ચા બાદ પસાર થઇ ગયું. જે બિલને હવે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે.
JDUએ કર્યો વિરોધ
લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન જનતા દળ યૂનાઇટેડે (JDU) કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જેડીયૂએ આ દરમિયાન લોકસભામાંથી વોકઆઉટ કર્યો.
YSRCP સમર્થન આપ્યું
લોકસભામાં વાઇએસઆરસીપી સાંસદ આર આર રાજૂ કાનૂમુરુએ પ્રસ્તાવનું સમર્થન કરતા કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે.
અમારા માટે કાશ્મીરી પંડિત પણ સ્ટેક હોલ્ડર : જિતેન્દ્ર સિંહ
બીજેપી સાંસદ જિતેન્દ્ર સિંહે કહ્યું કે નરસિમ્હા રાવની સરકાર એક પ્રસ્તાવ લઇને આવી જેમા POK અને જમ્મૂ કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ માનવામાં આવ્યો હતો અને તેનું સમર્થન પણ કર્યું. સંવિધાનિક દ્રષ્ટિથી આ પ્રસ્તાવમાં કંઇપણ ખોટું નથી. કાશ્મીરના સ્ટેક હોલ્ડર્સ માત્ર એ 3 નેતા જ નથી પરંતુ ભારતની જનતા પણ છે. અમારા માટે કાશ્મીર પંડિત અને પશ્ચિમી પાક.થી આવેલ શરણાર્થી પણ સ્ટેક હોલ્ડર છે.
રાજ્યસભાથી પસાર થયા બાદ આજે ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ કાશ્મીર પુનર્ગઠન બિલને લોકસભામાં ચર્ચા માટે રજૂ કર્યું છે. ત્યારે DMK બિલનો વિરોધ કર્યો છે. જ્યારે કોંગ્રેસનું કહ્યું કે પંડિત નહેરુને કારણે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.
નેહરુને કારણે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ : મનીષ તિવારી
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ અમિત શાહ પર જોરદાર હુમલો કર્યા. એમણે કહ્યું કે સંવિધાન સભાની મંજૂરી વિના આર્ટિકલ 370 ને દૂર ન કરી શકાય, જે આજે નથી. તિવારીએ કહ્યું કે જમ્મૂ કાશ્મીર વિધાનસભા-વિધાન પરિષદનો અર્થ સંસદ નથી. એમણે કહ્યું કે જમ્મૂ કાશ્મીરનું અલગ સંવિધાન છે જે 1957ને લાગૂ કરવામાં આવ્યું હતું. શું હવે પ્રદેશના ભાગલા પાડ્યા બાદ તે સંવિધાનને ફગાવા માટેનું બિલ પણ સરકાર લઇને આવશે.
એમણે કહ્યું કે સંઘીય ઢાંચાની ઉપર તેનાથી મોટો આઘાત ન હોઇ શકે. સાથે જ આજે જુનાગઢ, હૈદરાબાદ અને જમ્મૂ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તો તેની પાછળનું કારણ પંડિત જવાહરલાલ નેહરૂ હતા. અહીં અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ બતાવે કે આર્ટિકલ 370ના પક્ષમાં છે અથવા વિરોધમાં. મનીષ તિવારીએ કહ્યું કે વિના જમ્મૂ કાશ્મીર સભાની મંજૂરીએ આર્ટિકલ 370ને નાબૂદ ન કરી શકાય.
કોંગ્રેસે બતાવ્યો કાશ્મીરનો ઇતિહાસ
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું છે કે આઝાદી બાદ 2 દેશ બન્યા ભારત અને પાકિસ્તાન, ત્યારબાદ 562 રિયાસત બની જેને ક્યાંય પણ જવાની આઝાદી હતી. ત્રણ રિયાસતોને લઇને સંવેદનશીલ સ્થિતિ હતી, જમ્મૂ કાશ્મીર, હૈદરાબાદ, અને જૂનાગઢ. મહાત્મા ગાંધીએ પણ મહારાજા હરિસિંહને કાશ્મીરનો વિલય ભારતમાં કરવાની અપીલ કરી હતી. પરંતુ મહારાજા અસંમજસમાં હતા. બાદમાં પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો અને શ્રીનગર તરફ આગળ વધવા લાગ્યું.
મહારાજાની સામે હવે પાકિસ્તાનમાં વિલય અને ભારતની સાથે આવવાનો વિકલ્પ હતો. પરંતુ મહારાજાએ પાકિસ્તાનની ઘુસપેઠનો સામનો કર્યો અને ભારત પાસે મદદની અપીલ કરી. મહારાજાએ બાદમાં નહેરૂની આગેવાનીમાં ભારત સાથે સંધિ કરી અને સેનાને કાશ્મીર બચાવવા માટે આદેશ આપ્યો.
બિલના વિરોધમાં DMK
લોકસભામાં ડીએમકે સાંસદ ટીઆર બાલૂએ કહ્યું કે કાશ્મીરની પરિસ્થિતિ વિશેષ છે પરંતુ તમે રાજ્ય વિધાનસભાથી આ વિશે કોઇ ચર્ચા ન કરી, શું આ સરકાર લોકસભાની સાથે ત્યાં વિધાનસભા ચૂંટણી કરાવી શકતી નહોતી, પરંતુ તેની મંશા જ નહોતી. ટીઆર બાલૂએ કહ્યું કે સંસદને સંકલ્પ પાસ કરી રાષ્ટ્રપતિ પાસે મોકલવાનો અધિકાર છે અને આ કારણે જ રોજ 2-3 બિલની પસાર કરાઇ રહ્યા છે. વિના ચર્ચા અને વાદ-વિવાદના કાનૂન બનાવવામાં આવી રહ્યા છે.
બાલૂએ કહ્યું કે સરકારને તેથી શું હાંસલ થવાનું છે. અંતે તેમનો હેતું શું છે. આવા બિલ પર અમે કદાચ વોકઆઉટ કરીશું અથવા વિરોધમાં વોટ કરીશું. તમે એક રાજ્યને 2 નગરપાલિકા બનાવી દીધી છે, એ લોકોની ચિંતા કોણ કરશે. એમણે કહ્યું કે દેશમાં ઘણા મુદ્દા છે. ગરીબી છે, બોર્ડર સુરક્ષિત નથી. ઘુસપેઠ થઇ રહી છે. રોજ લોકો માર્યા જાય છે. આ બંને બિલ પસાર કરવાનો હક માત્ર વિધાનસભાને છે. સંસદને તેનો અધિકાર નથી. ત્યાની સંવિધાન સભા તેને ઉકેલવા માટે સક્ષમ છે. પરંતુ આપે માત્ર આપના સંશોધન પત્રને લાગૂ કરતા 370ને હટાવી દીધો, આ માત્ર તમારો હેતુ છે. પરંતુ જનતાની ઇચ્છા અન્ય કોઇ છે. ડીએમકેએ આ બિલનો વિરોધ કર્યો છે.
પૂનર્ગઠન બિલની ચર્ચાની શરૂઆતમાં જ કોંગ્રેસના અધિરંજન અને અમિત શાહ વચ્ચે રકજક થઇ હતી. અધિરંને કહ્યું કે, કાશ્મીર મુદ્દો યુએનમાં પેન્ડિંગ છે. તેથી તે અંગત મુદ્દો કેવી રીતે હોઈ શકે છે અને આખા રાજ્યને જેલ જેવુ બનાવી દીધું છે, પૂર્વ મુખ્યમંત્રીઓને જેલમાં બંધ કરવામાં આવ્યા છે.
જ્યારે અમિત શાહે સણસણતો જવાબ આપતાં કહ્યું કે, સરકારે કોઈ નિયમ તોડ્યો નથી. અમે પાકિસ્તાનના કબજાવાળુ જમ્મૂ અને કશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે એને અમે આપણુ માનીએ છીએ અને કાશ્મીર માટે અમે જીવ દેવા પણ તૈયાર છીએ. શાહે વધુ કહ્યું કે, હુ જ્યારે જમ્મૂ કશ્મીર બોલુ ત્યારે POK તેમા સાથે જ આવી જાય છે. POK અને અક્સાઈ ચીન ભારતનો હિસ્સો છે.
કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ કહ્યું કે, હૈદરાબાદ અને જૂનાગઢ પંડિત જવાહરલાલ નહેરૂની કૃપા છે. તો ભાજપના સાંસદ જુગલ કિશોર શર્માએ કોંગ્રેસને પડકાર ફેકતાં કહ્યું કે, જવાહરલાલ નહેરૂએ જમ્મું કશ્મીરને તોડ્યું છે.
અમિત શાહે સોમવારે એટલે કે ગઇકાલે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારપછી રાષ્ટ્રપતિએ કલમ હટાવવાની અધિસૂચના જાહેર કરી હતી. અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર દિલ્હી અને પોંડિચેરીની જેમ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે અને અહીં વિધાનસભા પણ બનશે. અહીં લદ્દાખની સ્થિતિ ચંદીગઢ જેવી થશે. જ્યાં વિધાનસભા નહીં હોય.
જમ્મૂ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન ન થાય તે માટે સુરક્ષાબળ તૈનાત
કલમ-370 હટાવ્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાં કોઇપણ પ્રકારનો વિરોધ પ્રદર્શન ન થાય અને કોઇ સમસ્યા સામે ના આવે તેના માટે સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યું છે. આ વચ્ચે NSA અજિત ડોભાલ રાજ્યની સમીક્ષા માટે શ્રીનગરની મુલાકાતે છે. ઉલ્લેખનીય છે કે નવી વ્યવસ્થા હેઠળ હવે જમ્મૂ-કાશ્મીરની પોલીસ હવે સીધા કેન્દ્ર સરકારની હેઠળ કામગીરી કરશે.