દેશના સામાન્ય બજેટને રજૂ કરવામાં હવે 10 દિવસથી પણ ઓછો સમય બાકી છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારું આ બજેટ આર્થિક મંદી વચ્ચે સરકાર માટે ખૂબ મહત્વનું છે. એવું કહેવાય રહ્યું છે કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આગામી વર્ષથી ઈન્કમ ટેક્સમાં મોટી રાહત આપી શકે છે. એવા પણ સંકેત મળ્યાં છે કે, ટેક્સ સ્લેબમાં મોટાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ.
મિડલ ક્લાસ લોકો માટે ખુશખબરી
1 ફેબ્રુઆરીએ રજૂ થશે સામાન્ય બજેટ
નાણા મંત્રી ટેક્સ સ્લેબમાં કરી શકે છે મોટો ફેરફાર
ટેક્સમાં આટલી છૂટ મળી શકે છે
સૂત્રો મુજબ, વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 5 લાખ રૂપિયા સુધીની કમાણી પર 5 ટકા ટેક્સ લાગે છે. જ્યારે 7થી 10 કે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર 10 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 5થી 10 લાખ રૂપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સ લાગે છે.
ટેક્સમાં છૂટથી આ ફાયદા થશે
જો સરકાર ઈન્કમ ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરે છે તો, ટેક્સપેયર્સ પાસે વધુ પૈસાની બચત થશે. એક ઉદાહરણથી સમજીએ તો, વાર્ષિક 10 લાખ રૂપિયાની ટેક્સેબલ ઈન્કમ પર 60 હજાર રૂપિયા, 15 લાખ ટેક્સેબલ ઈન્કમ પર 1.1 લાખ રૂપિયા અને વાર્ષિક 20 લાખની આવક ધરાવતા લોકોને 1.6 લાખ રૂપિયાની બચત થશે. આ કેલ્ક્યૂલેશનમાં સેસ એડ કરવામાં આવ્યું નથી.
વપરાશ અને રોકાણ વધશે
નિષ્ણાતો માને છે કે, મિડલ અને લોઅર મિડલ ક્લાસ લોકો પાસે બચત થવાથી વપરાશ અને રોકાણ વધશે. સાથે જ ઈન્કમ ટેક્સ ઘટવાથી બજારમાં ગતિ પણ આવશે. જોકે, જે લોકો વ્યક્તિગત ટેક્સમાં ઘટાડા સામે દલીલ કરે છે, તેઓ માને છે કે તેની અસર બહુ ઓછા લોકોને થશે. જેથી ગ્રોથ વધારવા માટે આ યોગ્ય વિકલ્પ નથી. તમને જણાવી દઈએ કે, વર્તમાન ટેક્સ સ્લેબના પ્રમાણે કોઈપણ વ્યક્તિની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધારે છે તો તે ટેક્સના દાયરામાં આવે છે.