ડેલ્ટાના નવા વેરિએન્ટ AY.4.2ને હાલમાં ખતરો માનવામાં આવી રહ્યો નથી. તે પહેલીવાર જુલાઈ 2021માં જાહેર થયું હતું. ડેલ્ટા વેરિએન્ટમાં કેટલાક નવા પરિવર્તનો છે. જે સ્પાઈક પ્રોટીનને અસર કરે છે.
ભારતમાં 24 કલાકમાં કોરોના નવા 14,623 દર્દીઓ મળ્યાં
બ્રિટેનમાં 24 કલાકમાં અચાનાક જ 223 લોકોના મૃત્યુએ ભારે ચિંતા ફેલાવી છે
એક તરફ ભારક સહિત લગભગ સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોધાઈ રહ્યો છે. તે જ સમયે બ્રિટેનમાં છેલ્લા 24 કલાકમાં અચાનાકજ 223 લોકોના મૃત્યુએ બ્રિટનમાં ભારે ચિંતા ફેલાવી છે. સત્તાવાર આંકડા મુજબ, મંગળવારે બ્રિટનમાં 223 લોકોના મોત થયા છે, જે આ ર્વષે માર્ચ પછીનો સૌથી વધુ મોટો આંક છે. બીજી બાજુ કોરોનાના નવા 43,738 કેસો પણ નોંધાયા છે. તેનું સૌથી મોટું કારણ યુકેમાં ડેલ્ટાનું નવું વેરિએન્ટ AY.4.2 હોવાનું માનવામાં આવે છે. યુકેના આરોગ્ય વિભાગે નવા કેસોના ફેલાવા માટે નવા પ્રકારોને પણ જવાબદાર ગણાવ્યા છે. અને તેનું મૂલ્યાંકન કરવાનું કહ્યું છે.
શું ખતરનાક છે આ વેરિએન્ટ?
ડેલ્ટાના નવા વેરિએન્ટ AY.4.2 ને હાલમાં ખતરો માનવામાં આવતો નથી. તે પહેલીવાર જુલાઈ 2021 માં જાહેર થયું હતું. ડેલ્ટા વેરિએન્ટમાં કેટલાક નવા પરિવર્તનો છે, જે સ્પાઇક પ્રોટીનને અસર કરે છે. નિષ્ણાતો સૂચવે છે કે AY.4.2 સંભવિત રૂપે વધુ ચેપી છે. પરંતુ તેની સરખામણી ડેલ્ટા અથવા આલ્ફા વેરિએન્ટ સાથે કરી શકાતી નથી જે 50 થી 60% વધુ ચેપી હતી.
ભારતમાં 24 કલાકમાં કોરોના નવા 14,623 દર્દીઓ મળ્યાં છે
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણમાં થોડો વધારો નોંધવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 14 હજાર 623 નવા કેસ મળી આવ્યા છે. આ દરમિયાન 197 દર્દીઓના મોત થયા હતા. નવા આંકડાઓ સહિત દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 3 કરોડ 41 લાખ 8 હજાર 996 થઈ ગઈ છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 4 લાખ 52 હજાર 651 દર્દીઓના મોત થયા છે. અત્યારે દેશમાં 1 લાખ 78 હજાર 98 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના વધુ 1,638 નવા કેસ નોધાયા
મંગળવારે મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 1,638 નવા કેસો આવવાથી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 65,94,820 થઈ ગઈ છે, જ્યારે વધુ 49 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક 1,39,865 પર પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,791 દર્દીઓ ચેપમાંથી સ્વસ્થ થયા હોવાની પુષ્ટિ થઈ છે, ત્યારબાદ ચેપ મુક્ત બનેલા લોકોની સંખ્યા વધીને 64,24,547 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોવિડ -19 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 26,805 થઈ ગઈ છે. ચેપમાંથી રિકવરી રેટ 97.42 ટકા થયો છે, જ્યારે મૃત્યુ દર 2.12 ટકા રહ્યો છે.