બ્રિટને 18મી સદીમાં મૈસુરના શાસક ટીપુ સુલતાનના સિંહાસન પર બેસાડવામાં આવેલા સોનાથી જડેલા વાઘના માથાના વિદેશમાં વેચાણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. નિકાસ પ્રતિબંધ પાછળ સરકારનો ઉદ્દેશ્ય ઐતિહાસિક ક્રાઉન જ્વેલરી માટે બ્રિટિશ ખરીદદારો શોધવાનો છે, જેથી તેને દેશમાં જાળવી શકાય.વાઘના મુગટમાં રહેલા ઝવેરાતની કિંમત આશરે 1.5 મિલિયન પાઉન્ડ હોવાનો અંદાજ છે, અને તેને બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધિત નિકાસ સૂચિમાં મૂકવાથી યુકેની ગેલેરી અથવા સંસ્થાને ઐતિહાસિક વસ્તુ ખરીદવા માટે સમય મળશે.
ટીપુ સુલતાનના સિંહાસનમાં આઠ સોનાના વાધ હતાં
નિષ્ણાતોના મતે, ટીપુ સુલતાનના સિંહાસનમાં આઠ સોનાના વાધ હતાં, આ સોનાના વાધનું માથું તેમાંથી એક છે. ટીપુ સુલતાનને મૈસુરના શેર તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંહાસનની ત્રણ હયાત સમકાલીન છબીઓ બ્રિટનમાં છે. બ્રિટનના આર્ટ મિનિસ્ટર લોર્ડ સ્ટીફન પાર્કિન્સને કહ્યું કે, ચમકતો તાજ ટીપુ સુલતાનના શાસનની વાત કહે છે. હું આશા રાખું છું કે, યુકેમાંથી કોઈ ખરીદદાર આગળ આવશે જેથી અમે ભારત સાથેના અમારા શરે કરેલા ઈતિહાસના આ મહત્વપૂર્ણ સમયગાળા વિશે વધુ જાણી શકીએ.
ટીપુના હાર બાદ ઘણી વસ્તુઓ બ્રિટન પહોંચી
ટીપુના હાર બ્રિટનના શાહી ભૂતકાળ માટે મહાન ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જે ટીપુની વાર્તા અને વસ્તુઓ પ્રત્યે સમકાલીન આકર્ષણ પેદા કરે છે. તેમની હાર પછી, ટીપુના તિજોરીમાંથી ઘણી વસ્તુઓ બ્રિટન પહોંચી, જ્યાં તેઓએ કવિતા, સાહિત્ય, કલાકારોને પ્રભાવિત કર્યા અને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું .