કેરળમાં એક અમાનવીય ઘટના સામે આવી છે. જેમાં કેટલાક લોકોએ એક ગર્ભવતી હાથણીને ફટાકડાથી ભરેલું અનાનસ ખવડાવી દીધું. ફટાકડા હાથણીના મોઢામાં ફુટયા અને હાથણીના ગર્ભમાં રહેલ બાળક સહિત તેનું મોત થયું ગયું. જે બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. બોલિવૂડ સેલેબ્સ પણ આ ઘટનાની નિંદા કરી રહ્યાં છે.
અનુષ્કા શર્માએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ મુદ્દે એક સ્ટોરી શેર કરી છે. તેણે આ ઘટનાના સમાચારના સ્ક્રીનશોટ્સ શેર કર્યા છે. તેણે લખ્યું, 'એટલે જ આપણે પ્રાણીઓ પર થતાં અત્યાચાર વિરુદ્ધ કડક કાયદાની જરૂર છે.
એક્ટર રણદીપ હુડ્ડાને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તેણે ટ્વિટ કરીને લખ્યું- ગર્ભવતી હાથણીને ફટાકડાથી ભરેલું અનાનસ ખવડાવવું અમાનવીય ઘટના છે. જેથી દોષી સામે કડક એક્સન લેવામાં આવવા જોઈએ. એક્ટરે તેની ટ્વિટમાં કેરળના સીએમ પિનારાઈ વિજયન અને પ્રકાશ જાવડેકરને પણ ટેગ કર્યાં છે.
— Dipika Chikhlia Topiwala (@ChikhliaDipika) June 2, 2020
રામાયણની સીતા એટલે કે દિપીકા ચિખલિયાએ રણદીપ હુડ્ડાની ટ્વિટ પર રિ-ટ્વિટ કરીને લખ્યું-આ એક અમાનવીય કૃત્ય છે અને ખૂબ જ ક્રૂર ઘટના છે. આ સિવાય પણ ઘણાં સેલેબ્સે ટ્વિટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે.
We worship Lord Ganesha and kill and abuse elephants. We worship Lord Hanuman & get pleasure out of watching monkeys being chained & performing degrading tricks. We worship and revere female goddesses and resent strength in women,abuse,maim them & practise female infanticide. 🙏
એક્ટ્રેસ પૂજા ભટ્ટે પણ આ ઘટના પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું- આપણે ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ અને હાથીઓને મારી નાખીએ છે અને તેમનો ખોટો ઉપયોગ કરીએ છીએ.
શું છે સમગ્ર મામલો
આ મામલો કેરળના મલપ્પુરમ જિલ્લાનો છે. ગર્ભવતી ભૂખી હાથણી ભોજનની શોધમાં જંગલની બહાર આવી ગઇ હતી. તે એક ગામમાં ભોજનની શોધ માટે ભટકી રહી હતી. કેટલાંક સ્થાનિક લોકોએ તેની સાથે મજાક કરી અને તેના અનાનસમાં ફટાકડા ભરી ખવડાવી દીધું. ભુખથી બેહાલ હાથણીએ તે અનાનસ ખાઇ લીધુ અને થોડા જ સમયમાં તેના પેટની અંદર ફટાકડા ફુટવા લાગ્યાં અને તેણે તડપીને પોતાનો જીવ ગુમાવી દીધો.