બોલીવુડ એક એવી જગ્યા છે, જ્યાં ફિલ્મોમાંથી અનેક સેલિબ્રિટીઓને રિપ્લેસ થતા જોવામાં આવ્યાં છે. જેની પાછળ ઘણા કારણ હોઇ શકે છે, જેમ કે ડાયરેક્ટર્સ સાથે વિવાદ, સ્ક્રિપ્ટ પસંદ ના આવવી અથવા પછી કઈક બીજુ.
સેલિબ્રિટીઓ વચ્ચે એકબીજા વચ્ચે મતભેદ જગજાહેર હોય છે
આ સેલિબ્રિટીઓનો ડાયરેક્ટર્સ સાથે થઇ ચૂક્યો છે વિવાદ
સેલિબ્રિટીઓને ફિલ્મને લઇને થઇ ચૂક્યો છે વિવાદ
આ એક એવી જગ્યા છે, જ્યાં દુશ્મની અને મિત્રતાનો ખેલ ચાલતો રહે છે. સેલિબ્રિટીઓ વચ્ચે એકબીજા વચ્ચે મતભેદ જગજાહેર હોય છે. પરંતુ હિન્દી સિનેમામાં અનેક સેલિબ્રિટીઓ એવી પણ છે, જેના ડાયરેક્ટર્સ સાથે અથડામણ થઇ ચૂકી છે.
કાર્તિક આર્યન હાલમાં હિન્દી સિનેમાનો ઉભરતો ચહેરો છે. તે એક પછી એક સારી ફિલ્મો લઇને આવી રહ્યાં છે. કાર્તિક આર્યન શહજાદા અને ફ્રેન્ડી જેવી ફિલ્મોમાં દેખાશે. બંને ફિલ્મોનુ ટીઝર હાલમાં રિલીઝ થયુ હતુ. જેને પ્રશંસકોએ ખૂબ પસંદ કર્યુ છે. પરંતુ કાર્તિક અને કરણ જોહરની વચ્ચે દોસ્તાના 2ને લઇને વિવાદ રહી ચૂક્યો છે.
સલમાન ખાન
આ યાદીમાં સલમાન ખાનના નામનો પણ સમાવેશ થાય છે. સલમાન ખાન અને અનુરાગ કશ્યપની વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ ફિલ્મ તેરે નામ દરમ્યાન થયો હતો. મીડિયા રિપોર્ટસ મુજબ પહેલા આ ફિલ્મને અનુરાગ કશ્યપ ડાયરેક્ટ કરવાના હતા. પરંતુ પછી તેમણે સલમાન ખાન પાસે એવી માંગણી મુકી કે અભિનેતાને ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો.
કંગના રણોત
કંગના રણોતને તો બોલીવુડની પંગા ક્વીન કહેવામાં આવે છે. તેમનો કોઈને કોઈ સાથે ઝગડો થાય છે. કંગનાનો કરણ જોહર સાથે પણ વિવાદ થયો છે. કંગના કૉફી વિથ કરણના પાંચમી સિઝનમાં આવી હતી. આ દરમ્યાન તેણે કરણ જોહરને મૂવી માફિયા જણાવી દીધો હતો અને નેપોટિજ્મને પણ પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી બંનેની વચ્ચે વાતચીતનો ક્રમ બંધ છે.