કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દેશભરમાં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્ર સંબોધનમાં લોકહિતમાં લોકડાઉન 3 મે સુધી લંબાવાની જાહેરાત કરી છે. તો તેના પર બોલિવૂડ એક્ટર કમાલ આર ખાનનું રિએક્શન આવ્યું છે. કમાલ ખાને પીએમ મોદીના લોકડાઉન વધારવા અંગે ટ્વિટ કર્યું છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
આ ટ્વિટમાં કમાલ આર ખાને લોકડાઉન વધારવાને લઈને ગરીબો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરતાં પીએમ મોદીને સવાલ કર્યો છે કે, પ્રધાનમંત્રી મોદી જીએ 3 મે સુધી લોકડાઉન વધારી દીધું છે. જે સારી વાત છે પરંતુ એકવાર ફરી મોદીજીએ એ ન જણાવ્યું કે, જે લોકો લોકડાઉનમાં ક્યાંક ફસાઈ ગયા છે તેઓ પૈસા વિના કઈ રીતે જીવી શકશે.
PM #Modi ji has increased #Lockdown2 till 3rd May 2020! It’s superb! But again Modi ji didn’t say that how will these people survive without money, who are struck somewhere in lockdown? These people must be allowed to go to their homes, otherwise many will die without food.
કમાલ ખાને આગળ લખ્યું- આ લોકોને તેમના ઘરે જવા દેવા જોઈએ, નહીંતર ઘણાં લોકો ભૂખમરાથી જ મરી જશે. કમાલની આ ટ્વિટ પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે અને પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, કમાલ ખાન હમેશાં બેબાકીથી પોતાના વિચારો વ્યક્ત કરે છે. એવામાં હાલ તેની આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહી છે.