ભાકિયુ નેતા ભાનુ પ્રતાપ સિંહે કહ્યું કે તમામ બોર્ડર પર થઈ રહેલા ખેડૂત આંદોલનકારીઓને કોંગ્રેસે ખરીદ્યા છે અને તેના માટે ફંડિંગ પણ થઈ રહ્યું છે.
ભાકિયુ નેતા ભાનુ પ્રતાપ સિંહનું નિવેદન
ખેડૂત આંદોલનકારીઓને કોંગ્રેસે ખરીદ્યા છે
ખેડૂત આંદોલન માટે થઇ રહ્યું છે ફંડિંગ
છેલ્લા 3 મહિનાથી પણ વધારે સમયથી દિલ્ગીની સીમા પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનકારી ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા 3 કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. આ સાથે જ ભારતીય કિસાન યૂનિયન ભાનુ ગુટના રાષ્ટ્રિય અધ્યક્ષ ભાનુ પ્રતાપ સિંહે આરોપ લગાવ્યો છે કે દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા લોકોને કોંગ્રેસે ખરીદી લીધા છે. કોંગ્રેસ જ આ માટે લોકોને ફંડિંગ કરી રહી છે.
#WATCH 26 जनवरी को हमें मालूम पड़ा था कि जितने भी संगठन सिंघु बॉर्डर, गाज़ीपुर बॉर्डर, टिकरी बॉर्डर पर आंदोलन कर रहे थे। ये सब कांग्रेस के खरीदे हुए और कांग्रेस के भेजे हुए संगठन थे। कांग्रेस इनको फंडिंग कर रही थी: भारतीय किसान यूनियन (भानु) के राष्ट्रीय अध्यक्ष भानु प्रताप सिंह pic.twitter.com/lEivlJe1G3
ભારતીય કિસાન યૂનિયન ભાનુ ગુટના રાષ્ટ્રિય અધ્યક્ષે કહ્યું કે 26 જાન્યુઆરીછી અમને ખ્યાલ છે કે જેટલા પણ સંગઠન સિંધુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર, ટિકરી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. આ દરેક કોંગ્રેસના ખરીદેલા અને કોંગ્રેસના મોકલેલા સંગઠન હતા. કોંગ્રેસ તેને માટે ફંડિંગ કરી રહ્યું છે સાથે જ ભાનુ પ્રતાપ સિંહે કહ્યું કે જ્યારે અમને ખ્યાલ આવ્યો કે તેઓએ 26 જાન્યુઆરીએ પોલીસ પર હુમલો કર્યો. તેઓએ લાલ કિલ્લા પર અન્ય ઝંડા લહેરાવ્યા. આ દિવસે જ અમે સંકલ્પ કર્યો કે અમે તેમની સાથે નહીં રહીએ અને અમે જતા રહેશું.
હું ચિલ્લા બોર્ડર પર ધરણા ખતમ કરવાની જાહેરાત કરું છુંઃ ભાનુ પ્રતાપ સિંહ
ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા બાદ ભારતીય કિસાન યૂનિયને પોતાના ધરણા સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. ભાનુ પ્રતાપ સિંહે કહ્યું કે 26 જાન્યુઆરીએ જે થયું તે દુઃખદ છે. સાથે તેઓએ કહ્યું કે હું 26 જાન્યુઆરીની ઘટનાથી એટલો દુઃખી છું કે હું ચિલ્લા બોર્ડર પર ધરણા ખતમ કરવાની જાહેરાત કરું છું, તેઓએ પોતે અને તેમના સંગઠને ધરણા ખતમ કર્યા હતા.
એક મીટિંગ બાદ આંદોલન કરાયું ખતમ
ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ કિસાન નેતા ભાનુ પ્રતાપ સિંહ અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહની વચ્ચે એક ગુપ્ત મીટિંગ થઈ હતી અને ચિલ્લા બોર્ડર પર થયેલા આંદોલનને આંશિક રીતે પૂર્ણ કરાયું હતું. 26 જાન્યુઆરી બાદ ભાનુ જૂથે આંદોલનને સંપૂર્ણ રીતે ખતમ કર્યું હતું અને આ સંગઠનને સંયુક્ત કિસાન મોર્ચામાં પણ સામેલ કરાયું ન હતું.