ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલા ભાજય સક્રિય જોવા મળ્યું છે. સીએમ યોગી આદિત્ય નાથ હવે અયોધ્યાથી ઉભા રહેશે. સાથેજ અન્ય દિગ્ગજ નેતાઓ પણ મેદાને ઉતરવાના છે
ઉત્તપ્રદેશમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક
સીએમ યોગી અયોધ્યાથી ચૂંટણી લડશે
ચૂંટણીને લઈને દરેક પાર્ટીની અલગ રણનીતી
ઉત્તરપ્રદેશમાં હજું ચૂંટણીને 7 મહિના બાકી છે. પરંતુ અત્યારથી અહિયા બધી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે અહીા ભાજપ એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. કારણે તેમણે ચૂંટણીને લઈને અલગ અલગ એક કરતા વધારે રણનીતીઓ ઘડી છે. પાર્ટી દ્વ્રારા આ વખતે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
403માંથી 300 સીટનું લક્ષ્ય
ભાજપ આ વખતે કુલ 403માંથી 300 જેટલી સીટ જીતવા માગે છે. ત્યારે એવી માહિતી પણ સામે આવી છે કે ભાજપ દ્વારા હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિવાય પણ ઘણા નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવશે. ઉપરાંત ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા અને ઉત્તરપ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ તેમજ મહેન્દ્ર સિંહને પણ મેદાનમાં ઉતારવામાં આવશે.
અયોધ્યાથી ઉભા રહેશે સીએમ યોગી
પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ રણનીતી મુજબ જો આ બધાજ દિગ્ગજ નેતાઓ મેદાનમાં એક સાથે ઉતરશે તો વિધાનસભાની ઘણી સીટો તેઓ બચાવી શકશે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે. કે સીએમ યોગી આદિત્યનાથ આ વખતે અયોધ્યા સીટ માટે લડવાના છે. તો પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહને બુંદેલખંડની કોઈ સીટ માટે મેદાનામાં ઉતારવામાં આવશે.
અયોધ્યાના ધારાસભ્ય સીટ છોડવા તૈયાર
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર અયોધ્યાના ધારાસભ્ચ પણ મુખ્યમંત્રી યોગી માટે તેમની સીટ છોડવા તૈયાર છે. ધારાસભ્ય પ્રકાશ ગુપ્તા કે જેઓ હાલ અયોધ્યાના ધારાસભ્ય છે. તેમણે કહ્યું કે સીએમ યોગી માટે હું મારી સીટ ખાલી કરવા તૈયાર છું. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે તેમના માટે ઘણી સારી બાબત છે કે તેમની સીટ તેઓ સીએમ યોગીને આપવાના છે.
અન્ય પાર્ટીઓ પણ એકશન મોડમાં
ઉલ્લેખનીય છે માત્ર ભાજપ દ્વારાજ નહી પરંતુ વિપક્ષ દ્વારા પણ આ વખતે ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રિયંકા ગાંધીએ પણ ઉત્તરપ્રદેશમાં મુલાકાતનો સિલસીલો શરૂ કરી દીધો છે. તો બીજી તરફ બસપા દ્વારા હિંદુઓ તેમજ બ્રાહ્મણોને એક કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યું છે.