સુરતમાં કોરોના દર્દીઓની સારવાર માટે ભાજપ સુરત દ્વારા 5 હજાર રેમડેસિવિર ઇન્જેકશન મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે સી.આર. પાટીલની જાહેરાત
"સુરતમાં ભાજપ રેમડેસિવિર ઇન્જેકશન મફત આપશે"
"જેને જરુર હોય તે ભાજપનો સંપર્ક કરી શકે"
રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મહત્વની જાહેરાત કરી છે. સુરતમાં કોરોના દર્દીઓની સારવાર માટે ભાજપ સુરત દ્વારા 5 હજાર રેમડેસિવિર ઇન્જેકશન મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે જેને જરૂર હોય તેણે ભાજપનો સંપર્ક કરવાનો રહેશે.
તો આ તરફ રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના કારણે ઝાયડસ હોસ્પિટલે મહત્વનો નિર્ણય કર્યો છે. આવતીકાલથી ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળશે નહીં. ઝાયડ્સ હોસ્પિટલ પાસે પણ ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાના કારણે મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય કરાયો છે. આ અંગે ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે. રેમડેસિવિર માટે ઝાયડ્સ હોસ્પિટલ બહાર રોજ લાંબી લાઈનો હોય છે.
સુરતમાં પણ રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સામે આવી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં વધારાનો જથ્થો નહીં. રિઝર્વ સિવાય રેમડેસિવિરનો વધારાનો જથ્થાની હાલમાં અછત છે. તો ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિરની ફાળવણી બંધ કરી દેવાઈ છે. આ સાથે સરકારી હોસ્પિટલમાં વધારાનો જથ્થો ન હોવાથી નિર્ણય કરાયો છે. 2 દિવસથી સિવિલમાંથી ખાનગી હોસ્પિટલને ઇન્જેક્શન અપાતા હતા. મોડી સાંજે રેમડેસિવિરને લઇ કલેક્ટરનો લેખિતમાં આદેશ થયો છે.