ભારતીય જનતા પાર્ટીએ ફરીથી સત્તામાં આવવા પર ખેડૂત ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) રાખનારા ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોન 5 વર્ષને માટે વગર વ્યાજે આપવાનો વાયદો કર્યો. આ સિવાય ઘોષણાપત્રમાં ખેડૂતો અને નાના વેપારીઓને પેન્શન આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની વાત કહી છે.
5 વર્ષ સુધી વ્યાજ ફ્રી લોનઃ
ભાજપે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોન 5 વર્ષ માટે વગર વ્યાજે આપવાનો વાયદો કર્યો છે. આ સાથે જ ખેડૂતો માટે 60 વર્ષ બાદ પેન્શનની વ્યવસ્થા કરવાનો વાયદો કર્યો છે.
શું છે કિસાન ક્રેડિટ કાર્ડ?
કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલ એક કલ્યાણકારી યોજના છે. આને ભારત સરકારે વર્ષ 1998માં શરૂ કરી હતી. કેસીસીનાં માધ્યમથી ખેડૂતોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાથી લોન ઉપલબ્ધ થઇ જાય છે.
કોણ બનાવી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ?
ખેતી સાથે જોડાયેલ ઉપકરણો, ખાદ, બીજ ઇત્યાદિનાં ખરીદ માટે ખેડૂતોની મહાજનો પર નિર્ભરતા ઓછી કરવાનાં ઉદ્દેશ્યથી કેસીસી સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત આસાન દરોં પર ખેડૂતને લોન આપવામાં આવે છે. કેસીસી અંતર્ગત 1 લાખથી વધારાની લોન પર ખેડૂતોને પોતાની જમીન બેંકો પાસે ગિરવી રાખવાની હોય છે. કેસીસી હોલ્ડર કિસાન કાર્ડનો ઉપયોગ કરીને સરળતાથી જોડાયેલ ઉપકરણો અથવા તો પછી અન્ય કામોને માટે પૈસાનો ઉપયોગ કરી શકે છે. એક વાર કેસીસી બની ગયાં બાદ આ 5 વર્ષ સુધી માન્ય હોય છે.
ક્યાંથી મળે છે 'કિસાન ક્રેડિટ કાર્ડ':
એનપીસીઆઇ એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે. આ સિવાય નાબાર્ડ ખેડૂતોને સરળતાથી ટર્મ લોન્સ ઉપલબ્ધ કરાવે છે. SBI, Bank of India અને IDBI દ્વારા પણ ખેડૂત કેસીસી પ્રાપ્ત કરી શકે છે.
કયાં દસ્તાવેજોની આવશ્યકતાઃ
કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે કેટલાંક દસ્તાવેજોની આવશ્યકતા હશે. જેવાં કે આઇડીપ્રૂફ, આધાર કાર્ડ, વોટર આઇડી કાર્ડ, પૈનકાર્ડ, આવાસીય પ્રમાણપત્ર, ત્રણ ફોટોની જરૂરિયાત હશે.
કેટલી થશે બચત?
કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોંને 1 લાખ રૂપિયા સુધીની લોન પર 5 વર્ષ સુધીનું વ્યાજ નહીં આપવાનું રહે.
ઉલ્લેખનીય છે કે આજે ભાજપે આજે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. જે દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથસિંહ સહીતનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, અમે 6 કરોડ લોકોની સાથે ચર્ચા કરીને આ સંકલ્પ પત્ર તૈયાર કર્યું છે. તેમણે કહ્યું કે અમે 75 મોટા સંકલ્પોની સાથે ચૂંટણી લડવા જઇ રહ્યાં છીએ.
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા સમયે ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, 12 શ્રેણીમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તમામ ક્ષેત્રો, તમામ વર્ગો સાથે વાત કર્યા બાદ આ વિઝન ડોક્યૂમેન્ટ તમારી સામે રજૂ કરી રહ્યાં છે.
- ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાનું નામ, 'સંકલ્પ પત્રઃ સંકલ્પિત ભારત, સશક્ત ભારત' રાખ્યું છે.
- ચૂંટણી ઢંઢેરાનાં કવર પેજ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો રાખવામાં આવ્યો છે.
સંકલ્પ પત્રની મુખ્ય વાતો... રાષ્ટ્રવાદ પ્રત્ય અમારી સંપૂર્ણ પ્રતિબદ્ધતા છે. આતંકવાદ પ્રત્યે જીરો ટોલરેંસની નીતિ છે. જ્યાં સુધી આતંકવાદ સમાપ્ત નહીં થાય આ જીરો ટોલરેંસ રહેશે.
- યૂનિફોર્મ સિવિલ કોર્ટ લાગૂ કરીશું.
- સિટીજનશિપ અમેન્ડમેન્ટ બિલને સંસદના બન્ને સદનોમાં પાસ કરાવીશું અને લાગૂ કરીશું. કોઇ રાજ્યના સાંસ્કૃતિક અને ભાષાઓ પર આંચ નહીં આવવા દઇએ.
- રામ મંદિર પર તમામ સંભાવનાઓને શોધીશું. પ્રયત્ન રહેશે કે જલ્દી મિત્રતાપૂર્ણ વાતાવરણનું નિર્માણ થશે.
- 1 લાખ સુધી ક્રેડિટ કાર્ડ પર જે લોન મળે છે, તેના પર 5 વર્ષ સુધી વ્યાજ જીરો ટકા થશે.
- ખેડૂતો પર 25 લાખ કરોડ રૂપિયા આગામી પાંચ વર્ષ દરમિયાન ખર્ચ કરવામાં આવશે.
- તમામ ખેડૂતોને 6 હજાર રૂપિયા લાભ મળશે.
- તમામ નાના અને શ્રીમંત ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા આપીશું.