'આસામને ભારતથી અલગ કરી દઇશું' વાળા વાયરલ વીડિયો પર રાજનીતિ ગરમાઇ છે. ત્યારે ભાજપે આ વીડિયોને શાહીન બાગનો બતાવી દઇને દાવો કર્યો કે, ત્યાં ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે. પોતાના વિવાદીત નિવેદનો માટે જાણિતા બીજેપીના નેતા સંબિત પાત્રાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી.
'આસામને ભારતથી અલગ કરી દઇશું' વાળા વાયરલ વીડિયો પર રાજનીતિ ગરમાઇ
સંબિત પાત્રાએ રાહુલ ગાંધી અને અરવિંદ કેરજરીવાલ પર પણ નિશાન સાધ્યું
બીજેપીના નેતા સંબિત પાત્રાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી
તેઓએ કહ્યું કે, પ્રદર્શનની જગ્યા શાહીન બાગ નહીં, પરંતુ દિશાહીન બાગ છે, તૌહિન બાગ છે. પાત્રાએ રાહુલ ગાંધી અને અરવિંદ કેરજરીવાલ પર પણ નિશાન સાધ્યું.
પ્રેસ કોન્ફરન્સમાં સંબિત પાત્રાએ સંભળાવી કવિતા!
મેં શાહીન બાગુ હું, જી હા મેં શાહીન બાગ હું, હાથ તિરંગા, મન મે દંગા, અમન ચેનને ડસને વાલા, મેં ઝહરીલા નાગ હું, મેં શાહીન બાગ હું. મહીલાઓ કે આડ મેં, નફરત કી બાડ મેં, હર શહર મેં લાલ ચોક હું, મેં પાક-પરસ્તો કા સબ્જબાગ હું, મેં શાહીન બાગ હું. કત્લેઆમ, હો સડક જામ, મેરા મકસદ હે દેશ જલે, મેં નફતની છુપી આગ હું, મેં શાહીન બાગ હું.
સંબિત પાત્રાએ દાવો કર્યો કે, શાહીન બાગમાં પ્રદર્શનના નામ પર ભારતના ટુકડા કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. સંબિત પાત્રાએ કહ્યું કે, ત્યાં જાહેરમાં આગચંપી, જિહાદનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે. આસામને અલગ કરવાની વાત કરવામાં આવી રહી છે.
રાહુલ અને કેજરીવાલ પર હુમલો
પ્રેસ કોન્ફરન્સમાં પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે શાહીન બાગનું સમર્થન કર્યું હતું. હવે બંનેએ સામે આવીને બોલવું જોઇએ.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહેલા વ્યક્તિને શરજિલ ઇમામ બતાવાઇ રહ્યા છે, જે જેએનયૂના વિદ્યાર્થી છે. આ વીડિયોમાં તેઓ પૂર્વોત્તર અને આસામને ભારતના નકશા પરથી મિટાવી દેવાની વાત કરી રહ્યા છે.
આ પહેલા બીજેપી નેતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, શાહીન બાગના માધ્યમથી જે અરાજકતા ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તેની પાછળ બે જુડવા ભાઇ અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી છે.
दोस्तों शाहीन बाग़ की असलियत देखें:
१)असम को इंडिया से काट कर अलग करना हमारी ज़िम्मेदारी
२)”Chicken Neck” मुसलमानो का है
३)इतना मवाद डालो पटरी पे की इंडिया की फ़ौज Assam जा ना सके
४)सारे ग़ैर मुसलमानो को मुसलमानों के शर्त पर ही आना होगा
If this is not ANTI NATIONAL then what is? pic.twitter.com/kgxl3GLwx1
આ પહેલા બીજેપીએ પ્રદર્શનકારી મહિલાઓ પર પૈસા લઇને પ્રદર્શન કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) ના વિરોધમાં પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ ભાજપ આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયાને માનહાનિની નોટિસ મોકલી હતી. મહિલાઓએ અમિત માલવિયાને 1 કરોડ રૂપિયા માનહાનિ નોટિસ મોકલી હતી. તથા માફી માંગવા પણ કહ્યું હતું.