રાજ્યસભાના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ બિપિન રાવતના નિધન પર સુપ્રીમ કોર્ટે સિટિંગ જજ પાસે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
ડો. સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટે સિટિંગ જજ પાસે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી
રાવત બહું નિડર અધિકારી અને સ્વસ્થ્ય વ્યક્તિ હતા- ડો. સ્વામી
ભારત બહું મોટો દેશ છે તેવામાં ષડયંત્ર કરી શકાય છે
ડો. સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટે સિટિંગ જજ પાસે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી
સીડીએસ બિપિન રાવતના નિધન પર ભાજપના રાજ્યસભાના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટે સિટિંગ જજ પાસે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. આની પહેલા શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પણ હેલિકોપ્ટર ઘટના પર શંકા વ્યક્ત કરી હતી.
રાવત બહું નિડર અધિકારી અને સ્વસ્થ્ય વ્યક્તિ હતા- ડો. સ્વામી
ડો. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્વીટર પર એક વીડિયો જારી કરી કહ્યું, હેલિકોપ્ટર ઘટનામાં સીડીએસ રાવતના નિધનથી તમામ લોકો હેરાન છે. તેમણે કહ્યું કે બહું નિડર અધિકારી અને સ્વસ્થ્ય વ્યક્તિ હતા. જેમણે ઘણા લોકો પસંદ નહોંતા કરતા. સ્વામીએ પોતાના વીડિયો સંદેશમાં સવાલ કર્યો કે આટલું હાઈરેટેડ એરક્રાફ્ટ જે રીતે દુર્ઘટનાગ્રસ્ત થવું નિષ્પક્ષ તપાસની માંગ કરે છે. આટલા મોટા અધિકારીનું રશિયા પાસેથી ખરીદેલ હેલિકોપ્ટરમાં મોત પોતાની રીતે અલગ ઘટના છે.
Dr Subramanian Swamy's Reaction to Untimely Death of the CDS General Bipin Rawat https://t.co/80gzJ857fK
તાઈવાનના મુખ્ય સૈન્ય અધિકારીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થતા તેમણે ચીનનો હાથ હોવાનો દાવો પણ ભારત સરકાર...
તેમણે તાઈવાનના મુખ્ય સૈન્ય અધિકારીના પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતનો સંદર્ભ ટાંકટા સ્વામી સુપ્રીમ કોર્ટના હાજર જજના ઓબ્જેર્વેશનમાં તપાસની માંગ કરી છે. સ્વામીએ કહ્યુ કે હાલમાં જ તાઈવાનના મુખ્ય સૈન્ય અધિકારીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. એ બાદ તે દેશનું કહેવું છે કે આમાં ચીનનો હાથ છે. પરંતુ ભારત સરકાર ભાર પૂર્વક એમ કહી રહી છે કે ખરાબ હવામાનના કારણે આવું થયું છે. દેશના 95 ટકા લોકોને સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે એટલા માટે સીટિંગ જજ પાસે જ આની તપાસ કરાવી જોઈએ.
ભારત બહું મોટો દેશ છે તેવામાં ષડયંત્ર કરી શકાય છે
સ્વામીએ કહ્યું કે દેશે આ મામલાને સ્પષ્ટ રીતે જાણવાની જરુર છે કે દુર્ઘટના કોઈ ટેક્નીકલ ખરાબીના કારણે થઈ કે પછી ઘરની અંદરની કોઈ શક્તિ કે વિદેશી શક્તિ કે પછી બન્નેએ મળીને આ કામ કર્યુ છે. ભારત બહું મોટો દેશ છે તેવામાં ષડયંત્ર કરી શકાય છે આના મુળ સુધી જવાની જરુર છે
... ત્યારે રાવતને સાંભળવું પડ્યું હતુ
સ્વામીએ કહ્યું કે ચીન આપણી બોર્ડરમાં હતું. આ બાદ પીએમ ચીનનું નામ સુદ્ધા નહોંતા લઈ રહ્યા. પરંતુ જનરલ રાવત એ વ્યક્તિ છે જેમણે કહ્યું કે પાકિસ્તાનથી વધારે ચીન આપણું નંબર વન દુશ્મન છે. પોતાના આખા બોલા અને સૈનામાં સારા રેકોર્ડના કારણે તેમની ઓળખ બનેલી હતી. પરંતુ ઘણા લોકો આવા સ્પષ્ટ બોલનારાને પસંદ નથી કરતા. સ્વામીએ કહ્યું કે જ્યારે ગલવાનમાં ચીની સેનાએ હુમલો કર્યો તો જનરલ રાવતે તત્કાલ નિર્ણય લીધો. જે માટે તેમને ખાનગી રીતે સાંભળવું પડ્યું હતુ.