કહેવામાં આવી રહ્યું છે કે, સાંસદ રંજીતા કોલી દિલ્હીથી રાજસ્થાન પરત ફરી રહ્યા હતા ત્યારે ભરતપુરમાં માઇનિંગ માફિયાઓએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો. હુમલા બાદ ભાજપના સાંસદ ધરણા પર બેસી ગયા છે
રાજસ્થાનના ભરતપુરમાં ખનન માફિયાઓ દ્વારા BJP સાંસદ પર હુમલો
કારમાં સવાર સાંસદ પર પથ્થરમારો, હુમલા બાદ સાંસદ ધરણાં પણ બેસ્યા
રાજસ્થાનના ભરતપુરમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ રંજીતા કોલીની કાર પર ખનન માફિયાઓ દ્વારા હુમલાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સાંસદ રંજીતા કોલી દિલ્હીથી રાજસ્થાન પરત ફરી રહી હતી ત્યારે ભરતપુરમાં માઇનિંગ માફિયાઓએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો. હુમલા બાદ ભાજપના સાંસદ ધરણા પર બેસી ગયા છે. આ તરફ જિલ્લા કલેકટર પણ ત્યાં પહોંચ્યા આનએ તેમણે જણાવ્યું કે, સાંસદે આરોપ લગાવ્યો છે કે, તેમને નજીકની પોલીસ ચોકીઓમાંથી તાત્કાલિક મદદ મળી નથી, જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો ?
આ કથિત હુમલા અંગે રંજીતા કોલીએ જણાવ્યું હતું કે, “મેં 150 જેટલી ઓવરલોડ ટ્રક જોઈ અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ ભાગી ગઈ. તેઓએ વિચાર્યું કે હું જ કાર છું અને પથ્થરમારો કરવા લાગ્યો, કારનો કાચ તૂટી ગયો. મને મારી નાખવામાં માટે આ મારા પર હુમલો છે પરંતુ હું ગભરાઈશ નહીં.” બીજેપી સાંસદે કહ્યું, “તેઓએ મને મારવાનો પ્રયાસ કર્યો. હું જીવ બચાવવા કારમાંથી કૂદી પડી. અમારે માત્ર ગેરકાયદેસર ખનન રોકવાની ઈચ્છા છે, આજે અમને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે.
भरतपुर लोकसभा क्षेत्र में अवैध खनन एवं खनन माफिया इस कदर हावी है कि सूचना मिलने पर जब मैं कामां पहुंची तो रात के अंधेरे में अवैध खनन से जुड़ी 100 से भी अधिक गाड़ियां मुझे मौके पर मिली और मेरे द्वारा रोकने पर आज फिर एक बार मुझ पर जानलेवा हमला किया गया। pic.twitter.com/IPnJp1LE3D
બીજેપી સાંસદ રંજીતા કોલીએ તેમના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "ભરતપુર લોકસભા મતવિસ્તારમાં ગેરકાયદેસર ખનન અને ખાણ માફિયાઓનો દબદબો એટલો છે કે, જ્યારે હું માહિતી મળતાં રાતના અંધારામાં કામાં પહોંચી તો સંબંધિત સ્થળ પર 100થી વધુ વાહનો મળી આવ્યા હતા અને મારા દ્વારા રોકવામાં આવતા આજે ફરી એકવાર મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
I saw about 150 trucks that were overloaded. I tried to stop them but they fled. They thought I was in the car & thus they pelted stones, break my car. I could have been killed. This is an attack on me but I won't be scared: BJP MP Ranjeeta Koli pic.twitter.com/WyPxNdR86q
સમગ્ર મામલે ભરતપુર જિલ્લા કલેક્ટર આલોક રંજને આ બાબત વિશે જણાવ્યું હતું કે, "ઓવરલોડ ટ્રક દ્વારા તેમના પર પથ્થરમારો કરવાનો આરોપ લગાવીને ધરણા પર બેસ્યા છે. અમે ઘટનાસ્થળે આવીને તેમને ફરિયાદ નોંધાવવા કહ્યું, જેથી તેઓ સંમત પણ થઈ ગયા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમને નજીકની પોલીસ ચોકીઓમાંથી તાત્કાલિક મદદ મળી નથી, જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવ્યું છે.