ખેડા જિલ્લાના ભાજપના હોદ્દેદારો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હોદ્દેદારોએ કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી ધજાગરા ઉડાવ્યા.
ભાજપના હોદ્દેદારો ભૂલ્યા ભાન
ભાજપ નેતાઓ માટે નથી નિયમો?
બર્થ-ડે પાર્ટીમાં નિયમોનુ કર્યુ ઉલ્લંઘન
ઉલ્લેખનીય છે કે, પાર્ટીપ્લોટના ઉદ્ઘાટન અને બર્થ-ડે પાર્ટીમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું. નડિયાદ હેલિપેડ ગ્રાઉન્ડ સામે પાર્ટીપ્લોટનું ઉદ્ઘાટન હતું અને આ દરમિયાન નગરપાલિકાના કાઉન્સિલરના પિતરાઇ ભાઇનો જન્મદિવસ પણ ઉજવાયો.
ભાજપના કાઉન્સિલર સામે નોંધાઈ
જેને લઇ વોર્ડ-4ના ભાજપના કાઉન્સિલર બાલા ભરવાડ સામે ફરિયાદ કરાઇ છે. કાર્યક્રમમાં લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. ત્યારે ઉદ્ઘાટન અને બર્થ-ડેનો વીડિયો વાયરલ થતા નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી છે. જો કે સવાલો ઉઠી રહ્યા છે કે ભાજપના નેતાઓને કોઇ નિયમો નથી લાગુ પડતા?. કાર્યક્રમ પર પ્રતિબંધ હોવા છતા કેમ નિયમોનું ઉલ્લંઘન કરો છો?.
ભાજપના નેતા છો એટલે મનફાવે તેમ નિયમો તોડશો?
ભાજપના નેતા છો એટલે મનફાવે તેમ નિયમો તોડશો?. શું ભાજપના નેતાઓને તંત્રનો કોઇ ડર જ નથી?. એકબાજુ નિયમો પાડવાની અપીલ કરો છો અને ખુદ નિયમો તોડો છો?. શું ભાજપના નેતાઓને પોલીસનો કોઇ ડર જ નથી?
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં મંગળવારે કોરોનાના 1,561 નવા કેસ નોંધાયા છે, તો 22 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા અને 4,869 લોકોએ કોરોનાને મ્હાત આપી આજે સાજા થયા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,561 નવા કેસ નોંધાયા છે, તો 22 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 4,869 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,71,860 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 472 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 29,015 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 1,70,94,620 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,70,94,620 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 1,96,763 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 256 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 172 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 80 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 172 કેસ, જ્યારે ગ્રામ્યમાં 80 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 86 કેસ અને ગ્રામ્યમાં 42 કેસ નોંધાયા છે.