ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ફરી આકરા પાણીએ આવ્યાં છે. તેમણે મોદી સરકારની ઝાટકણી કાઢી છે અને દેશની વર્તમાન આર્થિક દુર્દશા પાછળ જવાબદાર ઠેરવ્યા છે. જાણો આ વખતે સુભ્રમણ્યમ સ્વામીએ સરકારને શું કહ્યું.
GSTને કારણે નાના અને મધ્યમવર્ગના વેપારીઓનો મરો થયોઃ સ્વામી
મન મરજીથી સ્થિતિને સમજ્યા વગર જ GST લાગુ કરાયોઃ સ્વામી
સ્વામીએ કહ્યું કે ભારતમાં 2017માં અમલમાં મુકાયેલા સૌથી મોટા ટેક્સ રી -ફોર્મ, GSTને કારણે નાના અને મધ્યમ કદનાં વેપારીઓનો મરો થયો છે. આ પગલું 21મી સદીની મોદી સરકાર દ્વારા ભરવામાં આવ્યું હતું.
આ સૌથી મોટી મૂર્ખતા હતી
આ નિર્ણયએ ભારતની સૌથી મોટી મૂર્ખતા હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે GST કાયદાને કારણે લોકોને કયુ ફોર્મ ક્યારે ભરવું ? તેનું સ્ટેટસ શું છે તે જાણવા માટેનું પણ પૂરતું જ્ઞાન આપવામાં આવ્યું નથી. એમ કહી તેમણે મોદીની ઝાટકણી કાઢી હતી. તેમણે સરકાર પર માછલા ધોયા હતા.
લગભગ હાલની સ્થિતિમાં અસંભવ લાગી રહ્યું છે
તેમજ સ્વામીએ કહ્યું હતું કે, મન મરજીથી સ્થિતિને સમજ્યા વગર જ GST લાગુ કરી દેવામાં આવ્યો હતો. 2030 સુધીમાં જો ભારતે વૈશ્વિક મહાસત્તા બનવું હશે તો સદંતર 10%નો વિકાસદર જાળવી રાખવો પડશે. જે લગભગ હાલની સ્થિતિમાં અસંભવ લાગી રહ્યું છે.
દેશમાં આર્થિક સ્થિતિ મંદ પડી છે
દેશમાં આર્થિક સ્થિતિ મંદ પડી છે, અને રિકવરીનાં કોઈ જ સંકેત નથી. દેશમાં રોકાણ કરી ચૂકેલા અથવા જે રોકાણ કરવા ઈચ્છે છે તેમની સાથે ક્રૂરતા ન કરો અને ખાસ કરીને સામાન્ય કરદાતા અને GST ભરનારા વેપારીઓ સાથે. ઉલ્લેખનીય છે તે સ્વામી આ પહેલા એર ઈન્ડિયાને વેચવા બાબતે પણ સરકારની જાટકણી કાઢી ચૂક્યા છે.