દુનિયાભરમાં Crypto કરન્સીને લઈને ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ભારત સરકાર આ મુદ્દે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે.
Crypto કરન્સી પર સરકારે લઈ લીધો નિર્ણય
તૈયાર થઈ રહ્યો છે ખરડો, જલ્દી જ અપાઈ શકે છે મંજૂરી
Crypto થી ટ્રાન્ઝેક્શનને નહીં મળે મંજૂરી
ભારત સરકારે મન બનાવી લીધું
ભારત સહિત આખી દુનિયામાં ક્રિપ્ટોકરન્સી ક્રેઝ ખૂબ જોરદાર રીતે વધી રહ્યો છે, દેશમાં રાત દિવસ રોકાણકારોની સંખ્યા વધી રહી છે ત્યારે કરોડો અબજો રૂપિયાની હેરફેર વચ્ચે હવે મોદી સરકાર એક્શનમાં આવી છે. કેટલાક દેશો આ પ્રકારની કરન્સીનાં વિરોધમાં છે અને કેટલાક દેશો સમર્થન પણ કરી રહ્યા છે ત્યારે ભારત પણ આ મુદ્દે હવે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે મીટિંગ પણ યોજી હતી એવામાં હવે ટૂંક જ સમયમાં સરકાર આ મુદ્દે નિયમોની જાહેરાત અથવા તો કાયદો લાવી શકે છે.
શેર કે બોન્ડની જેમ રાખી શકાશે Crypto કરન્સી
મીડિયા અહેવાલ અનુસાર ભારત સરકારે Crypto પર અલગ જ વલણ અપનવવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં Crypto ને કરન્સી તરીકે માન્યતા આપવામાં આવશે નહીં, સાદા શબ્દોમાં તેનો અર્થ થાય છે કે જો કોઇની પાસે બીટકોઈન અથવા તેના જેવી અન્ય કોઈ Crypto કરન્સી છે તો તે વ્યક્તિ તેને શેર, ગોલ્ડ અને બોન્ડની જેમ પોતાની સંપત્તિની જેમ રાખી શકે છે પરંતુ તેનાથી પેમેન્ટ કરી શકાશે નહીં.
પેમેન્ટ કરવાને કોઈ મંજૂરી નહીં મળે
સરકારનાં સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર Crypto કરન્સી પર સરકાર એક ખરડો બનાવી રહી છે અને તેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યો છે. ભારત સરકાર વર્ચ્યુઅલ કરન્સી દ્વારા પેમેન્ટ અને લેણદેણ પર પ્રતિબંધ લગાવી દેશે અને Crypto ટ્રેડિંગ નિયમ પણ બનાવવામાં આવશે.
SEBI ને સમગ્ર કાર્યભાર આપવામાં આવી શકે છે
આગામી બે થી ત્રણ સપ્તાહમાં આ ખરડને કેબિનેટ દ્વારા માન્યતા આપવામાં આવી શકે છે અને સમગ્ર કામકાજ SEBIને આપી શકાય છે, જોકે આ મુદ્દે સરકાર તરફથી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને અંતિમ નિર્ણય પણ લેવામાં આવ્યો નથી.