કોરોના વાયરસનો કહેર દેશમાં વધી રહ્યો છે. એક બાદ એક લોકો તેની ઝપેટમાં આવવા લાગ્યા છે ત્યારે બોલીવૂડના એક્ટર બિક્રમજીત કંવપાલનું કોરોનાથી નિધન થયુ છે.
બિક્રમજીત કંવરપાલનું નિધન
અશોક પંડિતે આપી શ્રદ્ધાંજલિ
કોરોનાની બોલીવૂડ પર બાજ નજર
Sad to hear about the demise of actor Major Bikramjeet Kanwarpal this morning due to #Covid.
A retired army officer, Kanwarpal had played supporting roles in many films and television serials.
Heartfelt condolences to his family & near ones.
52 વર્ષના બિક્રમપાલ ટીવી અને ફિલ્મીજગતમાં મોટુ નામ હતા. સપોર્ટીંગ રોલમાં તે ખુબ જાણીતા હતા. ફિલ્મ ડિરેક્ટર અશોક પંડિતે આ વાતની પુષ્ટિ કરી હતી.
અશોક પંડિતે ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે મેજર બિક્રમજીતની કોવિડના કારણે નિધનની ખબર સાંભળીને હું બેહદ દુઃખી છુ. એક રિટાયર્ડ આર્મી ઓફિસર, જેમણે ઘણી ફિલ્મો અને ટીવીમાં કામ કર્યુ તેમના પરિવારને મારી સંવેદના.
બિક્રમજીતના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ લોકો સોશ્યલ મિડીયા પર દુઃખ જતાવી રહ્યાં છે.
બોલિવૂડના સંગીતકાર જોડી નદીમ-શ્રવણના સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનું નિધન થયું છે. તેમને મુંબઈની રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું. 67 વર્ષિય સંગીતકાર શ્રવણ રાઠોડને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શ્રવણકુમાર રાઠોડના પુત્રએ જણાવ્યું કે તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. તેમના હ્રદયમાં સમસ્યા હતી અને લોકડાઉનને કારણે તેને પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી. તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.
Shravan Rathod of musician Nadeem-Shravan duo passed away at SL Raheja Hospital in Mumbai this evening.
He was Covid positive and on ventilator for the past two days.
Om Shanti. pic.twitter.com/58ruWhK14c
તેના એક સમયના , મ્યુઝિક પાર્ટનર નદીમ સૈફીએ ઇન્સ્ટાગ્રામ ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવા વિનંતી કરી. તેમણે કહ્યું હતું કે, "હું મારા બધા મિત્રો અને ચાહકોને હાથ જોડીને વિનંતી કરું છું કે હાલના તબક્કે મુંબઈની એક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં આવેલા મારા સાથી શ્રવણની ઝડપથી સારવાર માટે પ્રાર્થના કરો."