નવી દિલ્હીઃ આજે ભાજપ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. ત્યારે બિહારમાં એનડીએ પોતાનાએ પોતાના 39 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બિહારમાં એનડીએના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં એનડીએના 39 ઉમેદવારોનું એલાન કર્યું છે.
NDAમાં કોને મળી ટિકિટ
બિહારમાં એનડીએએ પોતાના ઉમેદવારોનું એલાન કરી દીધું છે. બિહાર પ્રભારી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે પશ્વિમ ચંપારણથી ડૉ. સંજય જાયસવાલ, પૂર્વી ચંપારણથી ભાજપે રાધા મોહનસિંહને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય બાલ્મીકિનગરથી જેડીયૂના વૈધનાથ પ્રસાદ, પશ્વિમ ચંપારણથી ભાજપના સંજય જાયસવાલને ટિકિટ આપવામાં આવી છે.