Team VTV08:52 AM, 12 Aug 22
| Updated: 09:51 AM, 12 Aug 22
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરી વધી છે. સ્વતંત્રતા દિવસ અગાઉ ગઈકાલે આતંકવાદી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા. તો ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના સામે આવી હતી.
જમ્મૂ-કશ્મીરમાં પ્રવાસી શ્રમિકની હત્યા
બિહારના મધેપુરાનો રહેવાસી હતો શ્રમિક
બાંદીપોરામાં આતંકીઓએ શ્રમિકને ગાળી મારી
સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરી વધી છે. ગુરુવારે જમ્મુ કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાં આતંકવાદી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા, જ્યારે સુરક્ષા દળોએ પણ 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તો આ દરમિયાન, ખીણમાં ટાર્ગેટ કિલિંગની બીજી ઘટનાને અંજામ આપવમાં આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ એક પરપ્રાંતિય શ્રમિકની હત્યા કરી નાખી છે. આ પરપ્રાંતિય મજૂર બિહારનો રહેવાસી હતો. એવી માહિતી મળી રહી છે.
During intervening night, terrorists fired upon & injured one migrant labourer Mohd Amrez, r/o Madhepura, Besarh, Bihar at Soadnara Sumbal, Bandipora. He was shifted to hospital for treatment where he succumbed: Kashmir Zone Police
જમ્મૂ-કશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના
જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીર ઝોન પોલીસે આતંકવાદીઓના હુમલા વિશે જણાવ્યું કે મધરાત દરમિયાન, બાંદીપોરાના સોડનારા સંબલમાં આતંકવાદીઓએ એક પ્રવાસી શ્રમિક મોહમ્મદ અમરેજની ગોળી મારીને હત્યા કરી દીધી.
બિહારના મધેપુરાનો રહેવાસી હતો શ્રમિક
અમરેજ બિહારના મધેપુરાના બેસરાહ વિસ્તારનો રહેવાસી હતો. આતંકવાદીઓના ગોળીબારમાં ખરાબ રીતે ઘાયલ થયેલા અમરેજને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે દમ તોડી દીધો હતો. આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં ટાર્ગેટ કિલિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં કાશ્મીરની બહારનાં રહેવાસીઓએ પણ જીવ ગુમાવ્યા છે.
J&K | One migrant labourer from Bihar, Mohd Amrez shot dead by terrorists at Soadnara Sumbal, Bandipora.
મૃતકના ભાઈએ જણાવ્યું કે લગભગ 12.20 વાગ્યે મારા ભાઈએ મને જગાડ્યો અને કહ્યું હતું કે ફાયરિંગ શરૂ થઈ ગયું છે. મોહમ્મદ અમરેજ અમને આસપાસ દેખાયો નહોતો માટે અમે તેને શોધવા ગયા તો અમે તેને લોહીથી લથપથ જોયો. ત્યારબાદ અમે સુરક્ષા કર્મચારીઓનો સંપર્ક કર્યો. તેને હાજીન લાવવામાં આવ્યો હતો અને બાદમાં રેફર કરવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત થયું હતું.
હજુ ગઈકાલે બે આતંકીઓને મારવા દરમિયાન દેશના ચાર વીર જવાનોએ શહીદી વહોરી લીધી હતી. એકતરફ સ્વાતંત્ર્ય દિન નજીક આવી રહ્યો છે તો બીજી તરફ વધી રહેલા આતંકી હુમલાઓ સ્થાનિકોની ચિંતામાં વધારો કરે છે.