દિલ્હી ક્રાઈમ બાન્ચે પોતાનાં સૂત્રો અને સ્થાનીક પોલીસની મદદથી તેને પકડી પાડ્યો હતો. રવિવારે રાતે શરજીલનાં પૈતૃક ઘર પર પોલીસે રેડ પાડી હતી. જહાનાબાદના પોલીસ અધિક્ષક(એસપી) મનીષ કુમારના જણાવ્યાનુંસાર, કાકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઈમામનાં ઘર પર રવિવારે રાતે રેડ પાડી હતી.
JNU Student Sharjeel Imam has been arrested from Jahanabad,Bihar by Delhi Police. Imam had been booked for sedition by Police. More details awaited. pic.twitter.com/7zFmWFbWIf
આઈઆઈટી મુંબઈનાં કોમ્યુટર સાયન્સમાં સ્નાતક શરજીલ ઈમામ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયનાં સેન્ટર ફોર હિસ્ટોરિકલ સ્ટડિઝમાં પીએચડી કરવા માટે દિલ્હી આવ્યો હતો. શરજીલનાં ઉશ્કેરણીજનક ભાષણોને સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી રાજદ્રોહનો કેસ તેનાં પર લગાવવામાં આવ્યો હતો. ભાષણમં સીએએના મુદ્દા પર આસામને ભારતથી અલગ કરવા બાબતે તેઓ બોલ્યા હતાં. આ પહેલા તે અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય(એએમયુ) પરિસરમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ અલીગઢ પોલીસે તેની સામે કેસ દાખલ કર્યો હતો.
માતાએ કર્યો દિકરાનો લુલો બચાવ
આ ઉપરાંત આસામમાં શરજીલની વિરુદ્ધ આતંકવાદી વિરોધી કાયદો યુએપીએ હેઠળ એક મામલામાં દાખલ કરવામાં આવ્યો છે. શરજીલના દિવ્યાંગ પિતા અકબર ઈમામ સ્થાનીક જદયુનાં નેતા હતા. તેઓ વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતાં. આ ઘટના ક્રમને લઈને શરજીલની મા અફશાન રહીમે મીડિયાને કહ્યું હતું કે ‘મારો દિકરો નિર્દોષ છે. તેણે એનઆરસીને લઈને થઈ રહેલી મુશ્કેલીનાં સંદર્ભમાં ચક્કાજામની વાત કરી હશે. જેનાથી કદાચ સરકાર પર અસર પડી. તે યુવાન છે કોઈ ચોર કે પોકેટમાર નહી.’