કોંગ્રેસના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલનું બિહારના પ્રભારી તરીકેનું રાજીનામું હાઇકમાન્ડે સ્વીકારી લીધું છે. જો કે, દિલ્હી ઇન્ચાર્જ તરીકે તેઓ યથાવત છે. હાલ બિહારના પ્રભારી તરીકે કોંગ્રેસે ભક્તચરણ દાસની વરણી કરી છે.
દિલ્હીના ઇન્ચાર્જ તરીકે શક્તિસિંહ ગોહિલને યથાવત રખાયા
કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે નાદુરસ્ત તબિયતના કારણે બિહારના પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું છે. થોડા દિવસ અગાઉ તેમણે બિહાર પ્રભારી પદેથી મુક્ત કરવાની કોંગ્રેસ હાઇ કમાન્ડને રજૂઆત કરી હતી. જેમાં શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, મને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે. કોંગ્રેસમાં સામાન્ય જવાબદારી સોંપવામાં આવે. આ માહિતી શક્તિસિંહે ટ્વિટ કરીને આપી હતી.
Congress President has accepted willingness of Shaktisinh Gohil to be relieved from his duties as Congress In-charge of Bihar. Congress President has appointed Bhakta Charan Das as party in-charge of Bihar. Shaktisinh Gohil will continue as in-charge of Delhi: Congress (File pic) pic.twitter.com/EBC37MoSn6
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કર્યું હતું આ ટ્વિટ
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે લખ્યું હતું કે, અંગત કારણોથી મારી કોંગ્રેસના હાઈકમાન્ડને અપીલ છે કે મને સામાન્ય જવાબદારી સોંપવામાં આવે અને બિહારના પ્રભારથી મુક્ત કરવામાં આવે.
निजी कारणो से मैंने कांग्रेस आलाकमान से गुज़ारिश कि है की मुजे लाइट जिम्मेवारी दी जाए और बिहार के प्रभार से मुक्त किया जाए। Due to personal reasons, I have requested our Party High Command to allocate me lighter work for next few months and to relieve me ASAP as #Bihar incharge🙏 pic.twitter.com/V9GZY0PsN5