અમદાવાદમાં BRTS બસ સેવા બંધ છે ત્યાં સુધી કોરિડોરનો ઉપયોગ તમામ વાહનચાલકો કરી શકશે, મહાનગરપાલિકાના સત્તાધીશોની મળેલી બેઠકમાં લેવાયો આ નિર્ણય
અમદાવાદીઓ માટે ટ્રાફિકને લઈ રાહતના સમાચાર
વાહન ચાલકોને BRTS કોરીડોરનો ઉપયોગ કરવા મળશે
જ્યાં સુધી BRTS સેવા બંધ છે ત્યાં સુધી મળશે સુવિધા
અમદાવાદમાં ટ્રાફિકને હળવો કરવા માટે સૌથી મોટો નિર્ણય કરાયો છે. જ્યાં સુધી BRTS બંધ છે. ત્યાં સુધી કોરિડોરનો ઉપયોગ તમામ વાહનચાલકો કરી શકશે. મહાનગરપાલિકાના સત્તાધીશોની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. વધતા કોરોના સંક્રમણના કારણે BRTS અને AMTS બસો બંધ કરવામાં આવી છે. BRTS જ્યાં સુધી બંધ છે ત્યાં સુધી તમામ વાહનચાલકો કોરિડોરમાં વાહન ચલાવી શકશે. અમદાવાદીઓએ સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવ્યું હતું. જેમાં BRTSની સેવા જ બંધ છે તો ખાલી પડેલા કોરિડોરના ઉપયોગ માટે અભિયાન ચલાવ્યું હતું.
કોરોનાના કારણે તંત્રએ બંધ કરી છે BRTS
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ વધતા શહેરમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. અચોક્કસ મુદ્દત સુધી શહેરમાં BRTS અને AMTS સેવાઓ બંધ રહેશે. આ પ્રકારની જાહેરાત અમદાવાદ તંત્ર દ્વારા 18 માર્ચે જ કરી દેવાઈ હતી. પણ આ સાથે જે લોકો પોતાના કામના સ્થળ પર જવા માટે રોજબરોજ BRTSનો ઉપયોગ કરે છે. તેમને હાલાકી પડવાની શરૂ થઈ છે. અને તેમને રિક્ષાના વધારે ભાડા ચૂકવવા પડી રહ્યા છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 951 કેસ અને ગ્રામ્યમાં 26 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 723 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 237 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 379 કેસ, જ્યારે ગ્રામ્યમાં 111 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 427 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...