દિલ્હીમાં કોરોનાના કારણે 7 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. કોરોના મહામારીને લઈને એકવાર ફરી લોકોમાં ડર કાયમ થઈ ગયો છે. ત્યારે કોરોનાના વધતા કેસને જોતા અનેક વાર અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. શું દિલ્હીમાં ફરી લોકડાઉન લગાવવામાં આવી શકે છે? શું બજાર બંધ કરવા પર પગલા ભરવાના પગલા ઉઠાવી શકે છે? આ તમામ સવાલોને જોતા આજે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને મોટું નિવેદન આપ્યુ છે.
અમે આટલું મોટું જોખમ ન લઈ શકીએ.
આજે હું કરી શકું છું કે પીક આવી ચૂક્યા છીએ
એટલા માટે લોકડાઉન લગાવવાની કોઈ શક્યતા નથી
લોકડાઉનને લઈને સરકારની આ છે રણનીતિ
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને મીડિયા દ્વારા દિલ્હીમાં લોકડાઉન લગાવવાની શક્યતાઓને લઈને પુછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યુ હતુ કે જ્યારે પહેલા લોકડાઉન કરવામાં આવ્યું હતું તો તે એક લર્નિંગ એક્સસાઈઝ હતી. આ લોકડાઉનથી જે શીખ મળી તે એ હતી કે લોકડાઉનથી જે ફાયદો લેવાનો છે. તે માસ્કમાં પણ લઈ શકાય છે. આ કારણે વૈજ્ઞાનિકો છે. સૌથી ઓછી પોઝિટિવિટી હોસ્પિટલના સ્ટાફને છે. કેમ કે તે પ્રોટેક્શન લઈ રહ્યા છે. એટલા માટે લોકડાઉન લગાવવાની કોઈ શક્યતા નથી
બજાર બંધ કરવાને લઈને મંત્રી સતેન્દ્ર જૈને કહ્યું કે આ અંગે કોઈ સમીક્ષા કરવામાં આવી નથી. હવે તહેવારો જઈ ચૂક્યા છે. ભીડ ઓછી થઈ જશે. તો પણ થોડો ડર રાખી માસ્ક જરુર લગાવો. એમ પણ દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે. પોઝિટિવીટી રેટ 15 ટકા આવ્યો હતો હવે તે ફરી ન આવી શકે આજે હું કરી શકું છું કે પીક આવી ચૂક્યા છે.
નિયમો કડક કરવાની વાત પર સત્યેન્દ્ર જૈને કહ્યું કે માસ્ક ન લગાવનારા લોકો અન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન ન કરનારાઓ પર કડકાઈ વર્તવામાં આવશે. ગત દિવસોમાં 45 કરોડ રુપિયાનો દંડ વસુલવામાં આવ્યા હતા. છઠ પૂજામાં તળાવમાં ઉતરવાનું હોય છે 5 પોઝિટિવ હશે તો બધા પોઝિટિવ થઈ જશે. અમે આટલું મોટું જોખમ ન લઈ શકીએ.