ભારતમાં છેલ્લાથી કોરોનાની ત્રીજી લહેર ચરમ પર છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોમાં કમી દેખાઈ રહી છે. આ તમામની વચ્ચે નિષ્ણાંતોએ સલાહ આપી છે કે, સંક્રમણની ત્રીજી લહેર માર્ચ સુધીમાં ખતમ થવાની સંભાવના છે.
ભારતમાં છેલ્લાથી કોરોનાની ત્રીજી લહેર ચરમ પર છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોમાં કમી દેખાઈ રહી છે. આ તમામની વચ્ચે નિષ્ણાંતોએ સલાહ આપી છે કે, સંક્રમણની ત્રીજી લહેર માર્ચ સુધીમાં ખતમ થવાની સંભાવના છે. જ્યારે મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ સહિત કેટલાય રાજ્યોઓએ પોતાના એક્ટિવ કેસલોએડમાં ઘટાડો નોંધાવ્યો છે. અન્ય કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતની એક્ટિવ ટેલી ઘટીને 14.35 લાખ થઈ ગઈ છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના એક અધિકારીના જણાવ્યા અનુસાર દેશના અમુક ભાગમાં આ મહિનાના અંત સુધીમાં ત્રીજી લહેર ઓછી થવાની સંભાવના છે.
ICMRના અધિક નિર્દેશક ડો. સમીરન પાંડાએ એક રિપોર્ટનો હવાલો આપતા જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સામે આવતા નવા કેસોની સંખ્યા, આ મહિનાના અંત સુધીના આધાર સ્તર પર આવશે. આ તમામની વચ્ચે મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ શુક્રવારે કહ્યું કે, માર્ચના બીજા અથવા ત્રીજા અઠવાડીયામાં મહામારીની ત્રીજી લહેર ખતમ થઈ શકે છે. અધિકારીઓએ દૈનિક આંકડાનો હવાલો આપતા કહ્યું કે, મુંબઈ, પુણે, થાણે અને રાયગઢ જેવા મુખ્ય શહેરોમાં સંક્રમણ ઓછું થઈ રહ્યું છે. ત્યાં સુધી કે, 48,000 દૈનિકથી હાલના લગભગ 15,000 સુધી ઘટી શકે છે.
દેશમાં કોરોનાની સ્થિતી
જીવલેણ વાયરસ કોરોના દેશમાં કાલની સરખામણીએ આજે ઘટી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખ 27 હજાર 952 નવા કેસો આવ્યા છે અને 1059 લોકોના મોત થઈ ગયા છે. કાલની સરખામણીએ આજે કોરોનાના કેસો ઓછા આવ્યા છે. કાલે એક લાખ 49 હજાર 394 કેસ આવ્યા હતા. દેશમાં પોઝિટિવિટિ રેટ હવે 7.98 ટકા છે. જાણો કોરોનાની તાજી સ્થિતી શું છે.
એક્ટિવ કેસ ઘટીને 13 લાખ 31 હજાર 648 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલય તરફથી જાહેર કરવામા આવેલા નવા આંકડા મુજબ દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 13 લાખ 31 હજાર 648 થઈ ગઈ છે. તો વળી આ મહામારીથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 1 હજાર 114 થઈ ગઈ છે. આંકડામાં જણાવ્યા અનુસાર કાલે બે લાખ 30 હજાર 814 લોકો સાજા થઈ ગયા હતા. જે બાદ અત્યાર સુધીમાં 4 કરોડ 24 લાખ 79 હજાર 2 લોકો સાજા થઈ ગયા છે.
અત્યાર સુધીમાં કુલ 169 કરોડ ડોઝ આપવામાં આવ્યા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કોરોના વાયરસ વિરોધી રસીના લગભગ 169 કરોડથી વધારે ડોઝ આપવામા આવ્યા છે. કાલે 47 લાખ 53 હજાર 81 ડોઝ આપવામા આવ્યા હતા. જે બાદ અત્યાર સુધીમાં વેક્સિનના 169 કરોડ 98 લાખ 17 હજાર 199 ડોઝ આપવામાં આવ્યા છે.