બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સિરિઝ માટે ભારતીય ટીમનું એલાન કરીને કેએલ રાહુલને કેપ્ટનની જવાબદારી સોંપી છે.
સાઉથ આફ્રિકા સામે ટી-20 સિરિઝ અને ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાનું એલાન
સાઉથ આફ્રિકા સિરિઝમાં કેએલ રાહુલ કરશે કપ્તાની
રોહિત અને કોહલીને અપાયો આરામ
ભારત અને આફ્રિકા વચ્ચે પાંચ ટી-20
પહેલી ટી-20 9 જુને રમાશે
1 જુને રમાનારી ઈંગ્લેન્ડ સામેની એક ટેસ્ટ માટે ચેતેશ્વર પૂજારાને મળ્યું સ્થાન
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સાઉથ આફ્રિકા સામેની ટી-20 અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે. બીસીસીઆઈની પસંદગી સમિતીએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતા કેએલ રાહુલને કેપ્ટન જાહેર કર્યો છે. પસંદગી સમિતીએ રોહિત શર્મા-વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવાનું પસંદ કર્યું છે.
Ind vs SA T20Is: KL Rahul to captain in Rohit's absence; Umran, Arshdeep get maiden call-up
હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ સહિત ઘણા મોટા નામો ટી-20 ટીમમાં પરત ફર્યા છે. આ સિવાય આઈપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ તક મળી છે, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે.
હાર્દિક પંડ્યા-દિનેશ કાર્તિકને મળ્યું સ્થાન
ટી-20 વર્લ્ડ કપ બાદ પહેલી વાર હાર્દિક પંડ્યાને ટીમમાં સ્થાન મળ્યું છે. આઈપીએલ 2022માં પોતાના બેટથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દિનેશ કાર્તિકને પણ પસંદગીકારોએ ટીમમાં સમાવી લીધો છે.
India’s squad for T20I series against South Africa announced
ભારત-આફ્રિકા ટી-20 શ્રેણી
- પ્રથમ ટી-20 - 9મી જૂન, દિલ્હી
- બીજી ટી-20 - બીજી જૂન 12મી, કટક
- ત્રીજી ટી-20 - 14મી જૂન, વિશાખાપટ્ટનમ
- ચોથી ટી-20- 17મી જૂન, રાજકોટ
- પાંચમી ટી-20- 19 જૂન, બેંગલુરુ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે પણ ટીમની જાહેરાત
બીસીસીઆઈએ પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટેની ટીમની પણ જાહેરાત કરી દીધી છે. ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાને સ્થાન મળ્યું છે. ગત વર્ષની શ્રેણીમાં એક મેચ બાકી હતી, જે 1 જુલાઈએ રમાશે.
India’s Test squad for the fifth rescheduled Test against England announced
TEST Squad - Rohit Sharma (Capt), KL Rahul (VC), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Hanuma Vihari, Cheteshwar Pujara, Rishabh Pant (wk), KS Bharat (wk), R Jadeja, R Ashwin (1/2)
ઈંગ્લેન્ડ સામેની એક ટેસ્ટ માટે ચેતેશ્વર પૂજારાની એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે 1 જુલાઈએ ટીમ ઈન્ડીયા ઈંગ્લેન્ડ સામે બાકી રહી ગયેલી એક ટેસ્ટ પણ રમવાની છે. બીસીસીઆઈએ એક ટેસ્ટ માટે ચેતેશ્વર પુજારાને ટીમમાં સમાવી લીધો છે.