સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટને સરળ બનાવવા માટે 36થી વધુ કંપનીઓને નાણામંત્રાલયમાં ટ્રાન્સફર કરી દીધી છે.
ઘણા મોટા નિર્ણયો આજે લેવામાં આવી શકે છે
મોદી કેબિનેટથી બે મોટી ખબર સામે આવી
36થી વધુ કંપનીઓ નાણાકીય મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવશે
આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા મોટા નિર્ણયો આજે લેવામાં આવી શકે છે. આ વચ્ચે મોદી કેબિનેટથી બે મોટી ખબર સામે આવી રહી છે. એક તો આજે કેબિનેટમાં મોટો ફેરફાર થવાનો છે. ત્યાં જ સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટને સરળ બનાવવા માટે 36થી વધારે કંપનીઓને નાણામંત્રાલયમાંથી ટ્રાન્સફર કરી દીધી છે. હવે આ 36થી વધુ કંપનીઓ નાણાકીય મંત્રાલયમાં હશે પહેલા આ કંપનીઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં હતી.
આ છે કંપનીઓનું લિસ્ટ
આ ટ્રાન્સફર લિસ્ટમાં BHEL, HMT, Scooters India અને Andrew Yuleનું નામ શામેલ છે. સરકાર દ્વારા આમ કરવાથી કંપનીઓનું સ્ટ્રેટેજીક ડિસઈન્વેસ્ટમેન્ટ સરળ થઈ જશે. જણાવી દઈએ કે સરકારે પહેલાથી જ રણનૈતિક વેચાણ માટે લગભગ 35 સીપીએસઈની ઓળખ કરી છે. તેમાં એર ઈન્ડિયા, પવન હંસ, બીઈએમએલ, સ્કૂટર્સ ઈન્ડિયા, ભારત પંપ કંપ્રેશર્સ અને પ્રમુખ ઈસ્પાત કંપની-સેલની ભદ્રાવતી, સલેમ અને દુર્ગાપુરનો સમાવેશ થાય છે.
જે અન્ય સીપીએસઈ કંપનીના વેચાણને મંજૂરી આપવામાં આવી છે તેમાં હિન્દુસ્તારન ફ્લોરોકોર્બન, હિન્દુસ્તાન ન્યુઝપ્રિંટ, એચએલએલ લાઈફ કેર, સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ, બ્રિઝ એન્ડ રૂફ ઈન્ડિયા, ઈનએનડીસીની નાગરનાર ઈસ્પાત સંયંત્ર અને સીમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને આઈટીડીસીની કંપનીઓનો સમાવેશ થાય છે.