આધાર કાર્ડ જાહેર કરનારી સંસ્થા યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( UIDAI ) એ લોકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે રૂપિયા આપીને આધાર સેન્ટર્સ પર ઓપરેટર બનાવનારાની જાળમાં ન આવો. તેનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. UIDAIએ કહ્યું આધાર ઓપરેટર્સને UIDAI નહીં પણ રજિસ્ટ્રાર નિયુક્ત કરે છે. આ માટે આધાર સેન્ટર ઓપરેટર બનાવનારા વાળાઓથી સાવધાન રહો.
UIDAIએ કર્યા એલર્ટ
આધાર ઓપરેટર્સને રજિસ્ટ્રાર નિયુક્ત કરે છે
આધાર સેન્ટર ઓપરેટર બનાવનારા વાળાઓથી સાવધાન રહો
આ નંબર પર કરો ફરિયાદ
#Dial1947ForAadhaar
Operators are appointed by Registrars, not UIDAI. To become an operator contact the registrar of your region. Get registrar's info here https://t.co/tzFyse2jOP. If someone promises to make you an operator in return for money, call 1947 ®ister your complaint pic.twitter.com/MN8Ks9ag0T
UIDAIએ ટ્વિટમાં કહ્યુ છે કે આધાર ઓપરેટર્સને UIDAI નહીં પણ રજિસ્ટ્રાર નિમણૂંક કરે છે. આધાર સેન્ટર ઓપરેટર બનવા માટે વ્યક્તિને પોતાના ક્ષેત્રના રજિસ્ટ્રારથી કોન્ટેક્ટ કરવાનો રહે છે. આ માટે કોઈ તમને વાયદો કરે છે કે તેઓ રૂપિયા લઈને તમને આધાર સેન્ટરના ઓપરેટર બનાવી દેશે તો તેની જાળમાં ન ફસાઓ અને સાથે જ 1947 નંબર પર કોલ કરીને જાણ કરો.
જો ઓપરેટર વધારે ચાર્જ વસૂલે તો કરો આ કામ
એક યૂઝરને રિપ્લાયમાં UIDAIએ કહ્યું કે જો કોઈ આધાર એનરોલમેન્ટ એજન્સી તમારી પાસે કોઈ પણ પ્રકારના આધાર અપડેશનને માટે નક્કી ચાર્જથી વધારે રૂપિયા માંગે છે તો તમે તે એજન્સી કે ઓપરેટરની વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો. નાગરિકો https://resident.uidai.gov.in/file-complaint પર જઈને ફરિયાદ ઓનલાઈન ફાઈલ કરી શકે છે. UIDAIએ વેબસાઈટ પર આ જાણકારી આપી છે કે આધાર સાથે જોડાયેલી કોઈ પણ સર્વિસ માટે કેટલો ચાર્જ છે અને કઈ સર્વિસ ફ્રી છે. તેને જાણો અને ઠગી કરનારાથી બચો.