ભારતમાં હાલ કોવિડ વાયરસ તેના પીકને પાર કરી ગયો છે કે નહીં તે અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે, જો કે હાલની સ્થિતિમાં ભારત સહિત સમગ્ર વિશ્વની નજર કોવિડ વેક્સિન પર છે પરંતુ ભારતમાં કોવિડ વાયરસ પર થયેલા એક સંશોધને જો કે હવે વેક્સિનની અસરકારકતા પર શંકાના વાદળો ઊભા કરી દીધા છે.
ભોપાલ AIIMSના સ્ટડીમાં સામે આવી ચોંકાવનારી બાબતો
કોરોના વાયરસ સતત બદલી રહ્યું છે તેનું સ્વરૂપ
અત્યાર સુધીમાં 83થી વધુ વાર બદલી ચક્યું છે ફોર્મેટ
મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત AIIMS માં કોરોના વિશે કરવામાં આવતા સંશોધનમાં ચોંકાવનારી બાબતો સપાટી પર આવી છે. જેના મુજબ કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યું છે અત્યાર સુધીમાં તેની અસરકારક દવા કે રસી ન મળવાનું એક કારણ આ પણ હોઈ શકે છે.
83 થી વધુ વખત પરિવર્તિત થયો છે વાયરસ
AIIMS ભોપાલ સહિત અન્ય ઘણા દેશોના નિષ્ણાતોના સંશોધનથી બહાર આવ્યું છે કે ચીનથી ફેલાયેલ વાયરસ ડી 614 જી હતો. તે પછી, વાયરસ અત્યાર સુધીમાં લગભગ 83 વખત પરિવર્તિત થઈ ચૂક્યો છે, એટલે કે, વાયરસ ચીનના વુહાનથી ફેલાયાનું શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 83થી વધ વાર પોરનું સ્વરૂપ બદલી ચૂક્યું છે.
બહાર આવ્યા અનેક તથ્યો
આ સંશોધનમાં દરેક દેશના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. AIIMSના સૂત્રો કહે છે કે ભોપાલની ટીમે પણ આ મામલાનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસના આધારે, તે કહેવું મુશ્કેલ છે કે વાયરસના બદલાયેલા સ્વરૂપ પર રસી કેટલી અસરકારક રહેશે?
રસી બનાવવામાં આવે તે પહેલાં ફોર્મેટમાં ફેરફાર થઈ જાય છે.
કોરોના વાયરસનું મ્યુટેશન યુએસમાં લગભગ 60 વખત થયું હતું જે સૌથી વધુ છે, મલેશિયામાં 8 વખત જ્યારે ભારતમાં લગભગ 5 વખત આ બદલાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, જ્યારે વૈજ્ઞાનિકોને લાગે છે કે કોરોના રસી બનાવવામાં આવી છે, ત્યારે વાયરસ તેનું સ્વરૂપ બદલી નાખે છે.
વેક્સિન રિસર્ચ કરતાં વાયરસમાં બદલાવની ગતિ 3 ગણી વધુ છે
રિસર્ચર્સના જણાવ્યા મુજબ, કોરોના વાયરસના પરિવર્તનની ગતિ તેને વેક્સિનના વિકાસની ગતિની તુલનામાં ત્રણ ગણી વધારે છે. જિનોમ સિક્વન્સીંગ દ્વારા જાણવા મળ્યું છે કે વાયરસના સ્વરૂપમાં ફેરફારને કારણે પ્લાઝ્મા ઉપચાર પણ વધુ અસરકારક નથી.
તેથી હવે તે પણ કહી શકાતું નથી કે જે રસી આવશે તે તેની વાયરસની બદલાતી પ્રકૃતિને અસર કરશે કે નહીં અથવા વાયરસની નવી આવૃત્તિને પર તે કેટલી પ્રભાવક રહેશે. આ મ્યુટેશનના લીધે શરીરમાં એન્ટિબોડી બનવા પર પણ અસર પડી શકે છે.