ભાવનગરમાં પંચપીપલા ગામમાં એક માતાએ પાંચ બાળક સાથે કૂવામાં ઝંપલાવ્યું છે. જો કે ગ્રામજનો એકઠાં થઈ જતાં માતા અને મોટી દીકરીને બચાવી લીધી છે. જ્યારે કૂવામાંથી બે બાળકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 2 બાળક કૂવામાં હોવાથી ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી જાણકારી મુજબ ગતરોજ ભાવનગર જિલ્લાના પંચપીપલા ગામની એક મહિલાએ પોતોના 5 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતુ. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ ઘટના સ્થળે તાત્કાલિક અસરથી આવી પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ગ્રામજનોએ ખાટલા દ્વારા માતા અને મોટી દીકરીને બચાવી લીધી હતી. આ સાથે જ 2 બાળકોના મૃતદેહ પણ મળી આવ્યા હતા. જો કે અન્ય 2 બાળકોને શોધવા માટે ગ્રામજનો અને સ્થાનિક પોલીસનો અથાગ પ્રયાસ યથાવત છે. માતાએ ક્યાં કારણોસર કૂવામાં ઝંપલાવ્યું તે અંગે જાણકારી પ્રાપ્ત થઇ શકી નહોતી.