ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પાસે અમદાવાદ-થરાદ એક્સપ્રેસ હાઈ-વેનો ખેડૂત કરી રહ્યા છે વિરોધ
બીજા દિવસે પણ ધરણા યથાવત
અમદાવાદ- થરાદ એક્સપ્રેસ હાઇવેનો વિરોધ
જીવ આપી દેશે પણ જમીન નહીં આપે
ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક અમદાવાદ-થરાદ એક્સપ્રેસ વે ગામોની જમીનો કપાતમાં જાય છે. પરંતુ તેની સામે પર્યાપ્ત વળતર મળતું નથી. આવી ફરિયાદ સાથે ખેડૂતોએ આજે ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં સતત બીજા દિવસે પણ ધરણા યથાવત રાખ્યા હતા
ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં સતત બીજા દિવસે પણ ખેડૂતોના ધરણા યથાવત રહ્યા. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોએ એકઠા થઈને અમદાવાદ- થરાદ એક્સપ્રેસ હાઇવેનો વિરોધ કર્યો હતો. અહીં ખેડૂતોએ એકઠા થઈને બેનરો સાથે પ્રદર્શન યોજ્યું અને સૂત્રોચ્ચારો કર્યા હતા. જમીન સંપાદન સામે વિરોધ રૂપે અસરગ્રસ્ત ખેડૂતોના આમરણાંત ઉપવાસના બેનર હેઠળ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું.
ખેડૂતોનું કહેવું છે કે, ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક અમદાવાદ-થરાદ એક્સપ્રેસ વે ગામોની જમીનો કપાતમાં જાય છે. પરંતુ તેની સામે પર્યાપ્ત વળતર મળતું નથી. આથી ખેડૂતો પોતાનીઆજીવિકા સમાન જમીન ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં આપવા તૈયાર નથી. તેમને ડર છે કે, ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ગામોની જમીન કપાતમા જશે. અને તેમાં જે વળતર મળશે તે કૃષિની આવક સામે કશું નહીં હોય. આથી ખેડૂતો જીવ આપવા તૈયાર છે પરંતુ પોતાની જમીન આપવા નહી.