કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીની ભારત જોડો યાત્રાને લઇને સોમવારે સિવિલ સોસાયટીના કેટલાક દિગ્ગજો સાથે બેઠક કરી.
7 સપ્ટેમ્બરે શરૂ થશે ભારત જોડો યાત્રા
ભારતની રાજનીતિનું ધ્રુવીકરણ થઇ ગયુંઃ રાહુલ
શ્રીપેરંબદૂર સ્મારકથી શરૂ કરશે યાત્રા
રાહુલ ગાંધી સાથે બેઠકમાં સ્વરાજ ઇન્ડિયાના યોગેન્દ્ર યાદવ અને કેટલાક અન્ય સામાજિક અને બીન સરકારી સંગઠનના લોકો સામેલ થયા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ભીડ હોય કે ન હોય, કોઈ આવે કે ન આવે, હું ભારત જોડો યાત્રા પૂરી કરીશ.
બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મારે શીખવું છે, એ મારી પોતાની તપસ્યા છે. અમે જનહિતના તમામ મુદ્દાઓમાં તમારી સાથે રહીશું. હું કોરપોરેટ વિરૂદ્ધ નથી. હું મોનોપૉલી વિરૂદ્ધ છું કારણ કે તેનાથી લોકોને કચડવામાં આવે છે. સિવિલ સોસાયટીના લોકો પણ યાત્રામાં સામેલ થશે.
7 સપ્ટેમ્બરે શરૂ થશે ભારત જોડો યાત્રા
સૂત્રોના અનુસાર, સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓની સાથે આ બેઠક અંગે ચર્ચા માટે થઇ કે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં તેમની શું ભૂમિકા હોઇ શકે છે. કોંગ્રેસની આ યાત્રા 7 સપ્ટેમ્બરે તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થશે, જે 3500 કિલોમીટરનો પ્રવાસ કરીને કાશ્મીરમાં સમાપ્ત થશે. કોંગ્રેસનું કહેવું છે કે, આ યાત્રામાં સામાજિક સંગઠનોના પ્રતિનિધિ અને સમાન વિચારધારાના લોકો સામેલ થઇ શકે છે.
ભારતની રાજનીતિનું ધ્રુવીકરણ થઇ ગયુંઃ રાહુલ
રાહુલ ગાંધીએ બેઠકમાં કહ્યું કે, ભારતની રાજનીતિનું ધ્રુવીકરણ થઇ ગયું છે. આપણે પોતાની યાત્રામાં લોકોને બતાવીશું કે કેવી રીતે એક તરફ આરએસએસની વિચારધારા છે અને બીજી તરફ આપણે લોકોની સૌને સાથે લઇને ચાલવાની વિચારધારા છે. અમે આ વિશ્વાસને સાથે લઇને યાત્રા શરૂ કરી રહ્યા છીએ કે ભારતના લોકો તોડવાની નહીં, પરંતુ જોડવાની રાજનીતિ ઇચ્છે છે.
યોગેન્દ્ર યાદવ પણ થયા બેઠકમાં સામેલ
ત્યારે બેઠકમાં સામેલ યોગેન્દ્ર યાદવે કહ્યું કે, અમે સર્વસહમતિથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સ્વાગત કર્યું છે. ભારત જોડો યાત્રા જરૂરી છે. અમે આ યાત્રાથી જોડાણ બનાવીશું, કોઇ સાથે ચાલશે, કોઈ સ્વાગત કરશે. અમે ભારત જોડો યાત્રાનું સ્વાગત કરે છે. અમે એક કમિટી બનાવી છે, જે તમામ વાતો પર નિર્ણય લેશે.
શ્રીપેરંબદૂર સ્મારકથી શરૂ કરશે યાત્રા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 1991માં પોતાના પિતા રાજીવ ગાંધીની હત્યાના સ્થાન શ્રીપેરંબદૂર સ્મારક પર 7 સપ્ટેમબરે શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ થોડીવાર ધ્યાન લગાવશે અને પછી કન્યાકુમારીમાં ભારત જોડો યાત્રાની શરૂઆત કરશે. રાહુલ ગાંધીનો શ્રીપેરુંબદૂર સ્મારકનો આ પહેલો પ્રવાસ છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા કે.સેલ્વાપેરૂન્થગઈએ કહ્યું કે, અમારા નેતા રાહુલ ગાંધી 7 સપ્ટેમ્બરે સ્મારકનો પ્રવાસ કરશે. તેઓ કન્યાકુમારીમાં ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા ધ્યાન લગાવશે, પોતાના પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે, પ્રાર્થના કરશે અને તેમના આશીર્વાદ લશે.