ભારત બાયોટેક દ્વારા વિશ્વની પ્રથમ Nasal Vaccine ના ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો પણ પાર કરી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં નાક વાટેથી પણ કોરોનાની રસી લઈ શકાશે. જાણો આ વેક્સિનને લગતી તમામ માહિતી
વિશ્વપ્રથમ નેઝલ વેક્સિન બની ગઈ ભારતમાં
ભારત બાયોટેકના ડિરેક્ટર ડૉ. ક્રિષ્ના એલ્લાએ કરી જાહેરાત
ભારત બાયોટેકના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ક્રિષ્ના એલ્લાએ શનિવારે જણાવ્યું હતું કે કોરોનાની નેઝલ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો પણ પૂરો થઈ ગયો છે અને કંપની આવતા મહિને ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DGCA)ને ડેટા સબમિટ કરશે.
Bharat Biotech's COVID-19 nasal vaccine phase III trials completed
ડૉ. આઈલાએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયા બાદ ડેટા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. એકવાર એનાલિસિસ પૂર્ણ થયા બાદ તેનો ડેટા DGCAને સોંપવામાં આવશે. જો બધું બરાબર રહેશે, તો અમે વિશ્વની પ્રથમ નેઝલ કોવિડ વેક્સિન લોન્ચ કરી શકીશું.
નેઝલ વેકસીન શું છે?
ભારતમાં અત્યાર સુધીમાં મોટાભાગના પુખ્ત વયના લોકોને ઈન્જેક્શન દ્વારા કોરોનાની રસી આપવામાં આવી છે. જો કે, બાળકોને પીડાદાયક ઈન્જેક્શનને બદલે નાક દ્વારા રસી આપવાનો પ્રસ્તાવ છે. એવું માનવામાં આવે છે કે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ પદ્ધતિ વધુ અસરકારક છે અને તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે.
નેઝલ વેક્સિન કામ કેવી રીતે કરે છે?
કોરોના વાયરસ સહિત અનેક માઈક્રોબ્સ (સૂક્ષ્મ વાયરસ) મ્યુકોસા (ભીનો, ચીકણો પદાર્થ જે નાક, મોં, ફેફસાં અને પાચન તંત્રમાં હોય છે) દ્વારા શરીરમાં જાય છે. નેઝલ વેક્સિન સીધી મ્યુકોસામાં જ ઈમ્યુન રિસ્પોન્સ પેદા કરે છે.
એટલે કે, નેઝલ વેક્સિન ત્યાં લડવા માટે સૈનિક ઊભા રાખે છે જ્યાંથી વાયરસ શરીરમાં ઘૂસે છે. નેઝલ વેક્સિન તમારા શરીરમાં ઈમ્યુનોગ્લોબુલિન A(igA) પ્રોડ્યુસ કરે છે. એવું મનાય છે કેigA ઈન્ફેક્શનને અર્લી સ્ટેજમાં રોકવામાં વધુ કારગત થાય છે. આ ઈન્ફેક્શન રોકવાની સાથે સાથે ટ્રાન્સમિશને પણ રોકે છે.
નેઝલ વેક્સિનના શું ફાયદા છે
આ સિંગલ ડોઝ વેક્સિન છે, આ કારણથી ટ્રેકિંગ આસાન છે. તેની સાઈડ ઈફેક્ટ્સ પણ ઈન્ટ્રામસ્ક્યુલર વેક્સિન કરતાં ઓછી છે.
તેનો એક મોટો ફાયદો એ પણ છે કે નીડલ અને સિરિંજનો મેડિકલ વેસ્ટ પણ ઓછો થશે.
અત્યારના સમયે ભારતમાં લાગી રહેલી વેક્સિનના બે ડોઝ આપવામાં આવી રહ્યા છે. એવામાં નેઝલ વેક્સિન 14 દિવસમાં જ અસર કરવા માંડે છે.
ઈફેક્ટિવ નેઝલ ડોઝ માત્ર કોરોનાવાયરસથી નહીં બચાવે પણ અન્ય બીમારી ફેલાવાથી પણ રોકશે. દર્દીમાં સામાન્ય લક્ષણ પણ નજરે નહીં પડે. વાયરસ પણ શરીરના અન્ય અંગોને નુકસાન નહીં પહોંચાડી શકે.
નાકની રસી શા માટે અસરકારક છે?
હાર્વર્ડ ઇમ્યુનોલોજિસ્ટ જોસ ઓર્ડોવસ મોન્ટેસ કહે છે કે જો વાયરસ સામેની લડાઈને મજબૂત બનાવવી હોય તો જ્યાંથી વાયરસ શરીરમાં પ્રવેશી રહ્યો છે ત્યાંથી રસી લગાવવી પડશે. જોસ સમજાવે છે કે આપણે જે રસી આપણા હાથમાં લઈ રહ્યા છીએ તે એન્ટિબોડીઝ અને ટી-સેલ્સ રક્ત વાહિનીઓની આસપાસ તેમાં હાજર તત્વો સુધી લઈ જાય છે.
પ્રો. જોસના મતે, જો રસી સીધી નાક દ્વારા આપવામાં આવે તો, નાક, શ્વસનતંત્રના ઉપરના ભાગમાં તેમજ ફેફસામાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ રચાશે. તેની સાથે એન્ટિબોડીઝ અને ટી-સેલ્સ પણ તેમનું કામ કરશે. આનો ફાયદો એ છે કે જ્યારે વાયરસ નાક દ્વારા પ્રવેશ કરે છે, ત્યારે જ નાકમાં હાજર રોગપ્રતિકારક શક્તિ તેને નિષ્ક્રિય કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાકની રસી પછી પોઝિટિવ કેસમાં પણ મોટા પાયે ઘટાડો થઈ શકે છે.